SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૫ આ બધું વ્રતનું સ્વરૂપવિચારવું જોઈએ. એ વિચારતાં આત્માએ નિરુત્સાહ કે કાયર થવાની જરૂર નથી. કેમકે, ધર્મગુણે સિવાય આત્મહિત નથી. આનંદ-કામદેવાદિ શ્રાવકે એ વતસ્વરૂપ વિચારી વ્રત લીધાં હતાં. (ર) સહજ સુંદરતા:-વળી ધર્મગુણોમાં નિસર્ગક (સ્વાભાવિક) સુંદરતા છે. અર્થાત્ એ અહિંસા, સત્ય વિગેરે ગુણે એ સુંદર પવિત્ર ભાવે છે, આત્મા એનાથી શેભે છે, પ્રિય બને છે. જ્યારે હિંસા, જૂઠ ઈત્યાદિની વિચારણા, વાણી કે વર્તાવ ગલીચ છે, અપવિત્ર છે. એ સેવનારે લોકમાં હલકાઈ –ઈતરાજી-નિંદા પામે છે. ભલે કદાચ હિંસા, જૂઠ વિગેરેથી આર્થિક લાભ, પૌગલિક સગવડ કે માનપાનાદિ એકવાર મળી પણ જતા હોય, તે ય એમાં આત્મા સ્વસ્થ નથી, અસ્થિર છે, શાંત નથી, અશાંત છે. એ દુર્ગણે મમતા, માયા અને કષાયેની સંલેશભરી વૃત્તિઓથી કલંકિત છે. આ જ તે દુર્ગણની ( ની) સહજ અસુંદરતા (ખરાબ પણું) છે, જ્યારે, અહિંસા સત્ય વગેરે ગુણમાં મમતા-કષાયના તેવા સંકલેશ હેતા નથી. ચિત્ત સ્વસ્થ રહે છે, મુદ્રા સૌમ્ય અને તેજસ્વી દેખાય છે. એ બીજાને વિશ્વસનીય અને સમાગમ કરવા ગ્ય લાગે છે. આ સ્વરૂપની દષ્ટિએ સુંદરતા થઈ. ફળની દષ્ટિએ પણ સુંદરતા છે. કેમકે અહિંસા-સત્ય-નીતિ આદિથી ઉપજેલ દુન્યવી ભેગોમાં આત્મા વિહ્વળ-વ્યાકુળ, આસક્ત-અસ્વસ્થ નથી બનતે. આ બધું તે ગુણોની સ્વાભાવિક સુંદરતા ગણાય. એને આત્મામાં ખૂબ ભાવિત કરવું. હરિબી માછીમારે મુનિના ઉપદેશથી જાળમાં આવતે પહેલે મરછ છોડી દેવાનું કર્યું. દેવપરિક્ષામાં
SR No.022349
Book TitleUcch Prakashna Panthe
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay Gani
PublisherVardhaman Jain Tattvapracharak Vidyalay
Publication Year1966
Total Pages584
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy