________________
૧૭૦
પ્રાગ થયો હોય તે તે સુંદર ફળ આરોગ્ય-તુષ્ટિપુષ્ટિને આપે છે. શુભ કર્મ અનુબંધવાળું હેઈ, વિપાકે નવા શુભમાં પ્રવૃત્તિ કરાવે છે, અને પરંપરાએ નિવાર્ણને પરમ સુખનું સાધક બને છે.
આથી જ નિદાનરહિત એટલે કે કોઈપણ જાતના અનાત્મિક યાને જડ સંબંધી રાગ કે મમત્વ રાખ્યા વિના, અર્થાત્ આ લેક કે પરલોક સબંધી પગલિક આશંસા, માનાકાંક્ષા વગેરે દૂર કરીને; તેમ જ અશુભ અનુબંધને રેકીને શુભ ભાવ-ભાવનાઓને પેદા કરવામાં આ સૂત્ર બીજ સમાન એટલે કે અસાધારણ નિમિત્ત કારણ બને છે. માટે સુંદર પ્રણિધાનથી (યાને વિશુદ્ધ ભાવના, એકાગ્રતા-તન્મયતા અને કર્તવ્ય નિશ્ચય સાથે) અને સમ્યક્ રીતે એટલે કે ચિત્તને પ્રશાંત કરીને આ સૂત્રને ભણવું ગણવું જોઈએ, એના વાંચન તથા વ્યાખ્યાનને બરાબર અનુસરતું અખંડ શ્રવણ કરવું જોઈએ, તેમજ સુત્રના પદાર્થોનું ચિંતન મનન કરવું જોઈએ.
સૂત્ર-પરિવંધને સમુમાવનિરોf સુમવિ તિ सुप्पणिहाणं सम्मं पढिअव्वं, सम्मं सोअव्वं, सम्म अणुपेहिअव्वं ति । _ नमो नमिअनमिआणं परमगुरुवीअरागाणं । नमो सेसनमुक्कारारिहाणं । जयउ सव्वण्णुसासणं । परमसंबोहीए सुहिणो भवन्तु जीवा, सुहिणो भवन्तु जीवा सुहिणो भवन्तु जीवा ।
પ્રશ્ન-અહિં તે તમે નિયાણું કરવાને નિષેધ કરે છે, તે પૂર્વે “હેઉ મે એસા અણુમેયણાં' ઇત્યાદિ પાઠથી વિધિપૂર્વક અનુમોદનાનું નિયાણું કેમ કરાવ્યું ?