SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૭ નકમાંથી વિચારવા ગ્ય છે. રથકાર એ સંયમીની ભક્તિ કરનાર છે, મુનિ એ સંયમ પાળનાર સાધુ છે, અને હરણિયે એ સુકૃતની માત્ર અનુમોદના કરે છે. એમાં હરણિયે મુનિના સંયમસુકૃતની અને રથકારના દાનસુકૃતની એવી અદ્દભૂત અનુમોદના કરે છે કે ત્યાંથી એ પણ પાંચમાં બ્રહ્મ દેવલોકમાં ઉત્પન થાય છે. અહિ મૃગની સુકૃતાનુમોદના કેવી ઉત્તમ કે એણે સંયમના અને દાનના ફળ જેવું ફળ અપાવ્યું ! સૂત્ર-વર્ગ ખં પદમાળ સુમારણ બgવેમાળ सिढिलीभवंति परिहायंति खिज्जति असुहकम्माणुबंधा । અર્થ:-આ પ્રમાણે આને સમ્યફ રીતે ભણનારના સાંભળનારના અને એની અનુપ્રેક્ષા કરનારના અશુભ કર્મના અનુબંધ શિથિલ બને છે, હાસ પામતા જાય છે, અને ક્ષીણ થઈ જાય છે. વિવેચન:-આ સૂત્રને સમ્યગ રીતિએ ભણે તે કેવું અપૂર્વ ફળ છે, તે બતાવે છે. “સમ્યગ્ર રીતિએ” એટલે કે હૃદયમાં સંવેગને પ્રકાશ પાથરીને. સંવેગ એટલે પૂર્વે કહેલાં (૧) ચાર શરણમાં શ્રી અરિહંતદેવાદિને તે તે વિશેષણોની તેવી તેવી હૃદયસ્પર્શી શ્રદ્ધા અને આદર, (૨) દુષ્કત ગહમાં હૃદયમાંથી દુષ્કૃતના શલ્ય કાઢી, પિતાના દુકૃતકારી આત્માની પ્રત્યે સાચો દુગંછાભાવ, “કે અહે ! હું આવો અધમકારી? કેવું છેટું મેં કર્યું ! ” તેમજ (૩) સુકૃત-આસેવનમાં ક્રિયા પર્યત આત્માને લઈ જાય તેવી ગુણપ્રમેદવાલી પ્રાર્થના, (૪) સાથે, તે પાળવામાં દેવાધિદેવ અને સદગુરુના પરમ સામર્થ્યના પ્રભાવ પર અટલ શ્રદ્ધા, વળી (૫) શરણ વગેરે ત્રણ ઉપાયે અનંતકાળે આ
SR No.022349
Book TitleUcch Prakashna Panthe
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay Gani
PublisherVardhaman Jain Tattvapracharak Vidyalay
Publication Year1966
Total Pages584
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy