SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૯ હું ઈચ્છું છું. વળી (૨) તે અનુમોદના તીવ્ર મિથ્યાત્વકર્મના વિનાશથી સમ્યક્ એટલે શુદ્ધ આશયવાળી છે, અર્થાત્ પગલિક આશંસા રહિત અને દંભ વિનાની તથા વિશુદ્ધ ભાવનાવાળી છે. વળી (૩) તે સમ્યક સ્વીકારવાળી હો, એટલે કે તે ક્રિયામાં ઊતરે. તે પણ સારી રીતે પાળવાથી (૪) અતિચાર (ખલના) વિનાની છે. અનમેદનાને પાપપ્રતિઘાત અને ગુણબીજાધાનની સાધક બનાવવા માટે અનુમોદનાને આ કે સુંદર અને સચોટ પ્રવૃત્તિકમ બતાજો ! ઉન્નતિકારક સાધના-અંગે: અનુમોદના શું, કે કઈ પણ સામાયિકાદિ ધર્માનુષ્ઠાન, ક્ષમાદિ ગુણ, યા દાનાદિ સુકૃત શું, એની સાધના કરવા માટેની પ્રવૃત્તિના આ વ્યવસ્થિત અંગે છે – (૧) શાસ્ત્રોક્ત વિધિનું પાલન, અર્થાત્ શાસ્ત્ર યાને જ્ઞાનીનાં વચન પ્રત્યે જવલંત સાપેક્ષભાવ કે, “મારે એ રીતે એ મુજબ જ સાધના કરવાની, ” (૨) વિશુદ્ધ અધ્યવસાય; અર્થાત્ દિલમાં નિર્મળ પવિત્ર ભાવ-ભાવના-વિચારસરણી. તથા | (૩) યથાશક્તિ સમ્યફ ક્રિયા; એટલે કે જેની સાધના કરવી છે તેના અંગે સારી પ્રવૃત્તિ. દા. ત. સમભાવની સાધના માટે વિધિસર સામાયિકનાં અનુષ્ઠાનમાં જોડાવું, એની પ્રવૃત્તિ કરવી. તેમજ. (૪) એ પ્રવૃત્તિનું નિરતિચાર પાલન, એટલે કે એમાં જરાય દેષ-ખામી ન લાગવા દેવી. આ ચારેયમાં એકેય ઓછું ન ચાલે; કેમકે, (૧) પહેલું તે વિધિને આગ્રહ એ જિનવચન પ્રત્યેને સાપેક્ષભાવ સૂચવે
SR No.022349
Book TitleUcch Prakashna Panthe
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay Gani
PublisherVardhaman Jain Tattvapracharak Vidyalay
Publication Year1966
Total Pages584
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy