SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૦ હોઈ શકે જ નહિ” (ને હેય તે એમનામાં ચિતન્ય શું?) અથવા અનંત સુખ વિષે કુશંકા–“ત્યાં ખાવાનું, પીવાનું નહિ, લાડી નહિ, વાડી નહિ, તે સુખ શું ?” આવી આવી મિથ્યા માન્યતાઓ અને પ્રરુપણું તથા શ્રી સિદ્ધ પરમાત્માની મૂર્તિ વગેરેની આશાતનાદિ-આ બધું એમની પ્રત્યેનું વિપરીત આચરણ છે. “મુક્તિમાં સુખ શુ?” એમ શંકા કરનારને એ ખબર નથી કે ત્યાં કેઈ તૃષ્ણ નથી તથા ખાવા-પીવાની પીડા નથી માટે તો ખરૂં સુખ છે, કેઈ કર્મ નથી, અપેક્ષા નથી, તેથી જ અનંત સ્વાધીન સુખ છે. વળી એ સુખ કાલ્પનિક નથી, વાસ્તવિક છે. કાલ્પનિક તે વિષયનું સુખ છે. કેમકે એને એજ વિષય બીજા માણસને કે બીજા સમયે પિતાના જ દુઃખરૂપ લાગે છે, એટલે સંસારમાં સાચું સુખ ક્યાં રહ્યું ? શ્રી આચાર્ય મહારાજાદિ પ્રત્યે પણ વિપરીત આચરણમાં અનાચરણીય અને અનિચ્છનીય આચરણ તથા પ્રકારે સમજવું. આમાં માતાપિતા યાવત્ કેઈપણ જીવ પ્રત્યે કૃતજનતા, દ્રોહ, ઈર્ષ્યા, પીડા, અપમાન, અનાદર, તિરસ્કાર, વગેરે આવે. માર્ગ સાધનની આશાતના, અવગણના, નાશ, અંતરાય વગેરે અનાચરણીય ગણાય. અમા–સાધનના આદર, બહુમાન, મુલ્યાંકન, પ્રચાર વગેરે અનાચરણીય ગણાય. ટૂંકમાં જે કાંઈ મિથ્યામતિ અજ્ઞાન, અપ્રશસ્ત રાગદ્વેષ, હાસ્ય મશ્કરી, હર્ષોન્માદ, અસત્ ખેદ કે કેધાદિ કષાયવશ જીવ કે જડ પ્રત્યે બોલ્યા-ચાલ્યા -વિચાર્યું તે બધું અનાચરણીય-અનિચ્છનીય ગણાય. આની ગહ કરવાની. દઢપ્રહારી ચેરે બ્રાહ્મણના ઘરમાં ઘુસતાં આડી ગાય
SR No.022349
Book TitleUcch Prakashna Panthe
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay Gani
PublisherVardhaman Jain Tattvapracharak Vidyalay
Publication Year1966
Total Pages584
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy