SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ મિત્રોમાં, સુખમાં કે દુઃખમાં આત્માની હાજરી લે, જાગ્રત રાખે. બચાવ કેઈના ચાલ્યા નથી. જિનશાસનમાં તે જરાક અરુચિ કે અણગમે એ પણ છેષ છે. દુનિયામાં આપણને અનિષ્ટ લાગતા વિષયે, અનિષ્ટ છે, અનિષ્ટ સંગે પ્રત્યે દ્વેષ જેટલો વખત રહે તેટલે વખત એ આત્માને કાળો બનાવે છે. અહે? શા સારુ આત્મા પરમાં પડતું હશે? પરની જંજાળ કરતે હશે ? એને પિતાનું સંભાળવાનું, પિતાની ખરાબી મિટાવવાનું ક્યાં ઓછું છે? પ્રભુવચનની શ્રદ્ધાની કમીના છે. એક સમયે માત્ર પણ પર-ચિંતા કરવાની જરૂર નથી. એ તે આપણા ભાગ્ય મુજબજ વર્તશે. દુનિયામાં રહ્યા ત્યાં અતિ આવશ્યક દેખાવ રાખવા પડતા હોય તેય, જેમ સર્પની દાઢમાંથી ઝેર કાઢી નાખ્યું, પછી કુંફાડે નુકશાન કરનારે નહિ; તેમ આપણુ દેખાવના કુંફાડા પાછળ રાગદ્વેષના ઝેર ન રહેવા જોઈએ. કષાય-ઝેરને સમૂગળે નાશ થ જોઈએ. નાને સરખે પણ કષાય કરે પડે એ કુસંસ્કારને પોષવાનું થાય છે, એને તાજા કરવાનું થાય છે, હવે હરગીઝ ન ભૂલાવું જોઈએ. મનુષ્ય જીવન મળ્યું એટલે ધંધો શું રાગદ્વેષ અને વેરઝેરને કરે? જીવનમાં આવી અધમ કાર્યવાહી જોરદાર છે ત્યાં સુધી જગનાથનું દર્શન દેહ્યલું છે. સમ્યગ્દર્શનની સુંદર સામગ્રીવાળા આ મોંઘેરા માનવભવમાં દર્શનની આડે ઘાતીકર્મની દિવાલ મજબૂત ન કરાય, પણ તેને તોડી નાખવી જોઈએ. તેને ખરી કર્યા વિના તત્ત્વનું સાચું દર્શન નહિ થાય, દર્શનાભાસ થશે. “મારે સેવક જગનાથને બનવું છે, કિંતુ વિષયકષાય કે રાગદ્વેષને નહિ. માટે જિનની વાણીના અનુસારેજ
SR No.022349
Book TitleUcch Prakashna Panthe
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay Gani
PublisherVardhaman Jain Tattvapracharak Vidyalay
Publication Year1966
Total Pages584
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy