SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ રાગ બની જાય. સંસારના લાભની અપેક્ષાએ, હાસ્યાદિ મેહની વૃિત્તિના પોષણની દષ્ટિએ, રાગ કરે તે અપ્રશસ્ત રાગ. સંસારથી નિસ્તાર પામવા મુક્ત થવા માટે, અને તેના ઉપાયમાં જોડાવા બદલ જે રાગ કરાય તે પ્રશસ્ત રાગ. એથી ધર્મ–લેશ્યા અને ધર્મને રાગ બંને વધતા જાય. જેટલી ઘર્મ–લેશ્યાની માત્રા અને વેગ (Degree, Force) ઓછા તેટલું પુણ્ય કાચું બંધાય; ધર્મની લેશ્યા જોરદાર, તે પુણ્ય પણ જોરદાર, અને એથી સામગ્રી પણ ઊંચી જોરદાર મળે. શાલિભદ્રને વેશ્યા ઊંચી હતી તે દેવતાઈ નવ્વાણું પેટીએ રજની મળતી છતાં, ઊંચી ધર્મની વેશ્યાથી ચારિત્ર લીધું અને પાળ્યું ! ઊંચી ધર્મ લેશ્યાવાળો અધુરી સાધનાને ખપ ન કરે. ગયા ભવમાં ખીર વહેરાવ્યા પછી ય ગુરુમહારાજ ઉપર પ્રશસ્ત રાગને પ્રવાહ એ, કે પેટમાં પછી ફૂલની પીડા થતી હતી તે પણ માને ભૂલી, એના ચિત્તમાં એકલા ગુરુની યાદ હતી. પેટમાં ળ વખતે માતા હાથ ફેરવતી હશે, સેવા કરતી હશે, પણ તે વખતે માતાને યાદ નહિ કરતાં ધ્યાન એક માત્ર ગુરુમાં અને દાન કરાવવાના ગુરુના ઉપકારમાં–“અહે ! મારા ઉપકારી ગુરુએ કે મને તાર્યો?” આ કયારે આવ્યું ? માતાએ ફરી ખીર આપી-ખવરાવી તે લક્ષમાં નહિ, પણ ગુરુના પાત્રે ગઈ તે લક્ષમાં. “કે સુંદર ગખીર ! અને દાનમાં! તેય મહાત્માને ! આવી દાનધર્મની અનુમોહના હૃદયે ! આ પ્રશસ્ત રાગ, ને તેથી ઉચ્ચ વિભવી સામગ્રીને ઘણું બન્યું ! પણ એ સામગ્રી પાપાનુબંધી નથી, મેહમાં અંધ નથી કરતી. જ્યારે “માથે એક મેહગ્રસ્ત માનવ રાજા પોતાની
SR No.022349
Book TitleUcch Prakashna Panthe
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay Gani
PublisherVardhaman Jain Tattvapracharak Vidyalay
Publication Year1966
Total Pages584
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy