SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૩ પ્રવૃત્તિ બહુ ઓછી; તે બનવું જોઈએ. પણ એ મુશ્કેલ છે, કેમકે દે જાણે સ્વભાવ થઈ પડ્યા છે, અને ગુણે અપરિચિત, કે અળખામણા જેવા રહ્યા છે. પંચસૂત્રમાં કહેલી વાત સ્વીકારવા માટે આત્મામાંથી ભવાભિનંદી૫ણુના આ અપલક્ષણ-દુર્ગણે ચાલ્યા જવા જોઈએ. જીવે કેમકે, ભવાભિનંદિની અંદર ક્ષુદ્રતા વગેરેનું જોર જ્યાં સુધી હયાત છે, ત્યાં સુધી તેને તત્વ પર દ્વેષ છે, તત્ત્વની રુચિ થતી નથી, સાચી તત્વની એને સમજણ જ નહિ પડે. જ્યારે પંચસૂત્ર તે લાયકને જ સમજાય અને લાયકને જ અપાય. એ ગંભીર રસાયણ છે. એ પચાવવા દેષ વિનાની અને જોરદાર હજરી જોઈએ. હોજરીમાં દોષ ખદબદતા હોય તે રસાયણ ફૂટી નીકળે. સર્વ ને આ વસ્તુની પ્રાપ્તિ ન થાય. વાયડી વાતેથી આ ન મળે. ભવાભિનંદીના દુર્ગણે ટાળવા જ જોઈએ, મન મારવું પડે, કાયા ઘસવી પડે, તુચ્છ લાભ જતા કરવા પડે, સ્વચ્છંદતા મૂકવી પડે, અનંત જ્ઞાનીને સમર્પિત બનવું પડે. એ બધું આજ સુધી નથી કર્યું, માટેજ ભવાભિનંદી જીવ સંસારમાં રખડે છે. મેક્ષ એ પાપપ્રતિઘાત વગેરેના કમથી મળે. સાધનાની ભૂમિકા તે પ્રમાણે જ રચાવી જોઈએ, અને સાધનાની ઈમારત તેજ ક્રમે પૂરી થવી જોઈએ. પાપ પ્રતિઘાત માટે (૧) ભવાભિનંદીના દુર્ગુણેને નાશ કરવો જોઈએ, (૨) પંચસૂત્રમાં બતાવેલ સાધનાના કમ ઉપર દઢ શ્રદ્ધા જોઈએ. (૩) તે કમ મુજબ પુરુષાર્થ કર જોઈએ. તે ધર્મ પુરુષાર્થ પણ (૧) સતત, (૨) વિધિપૂર્વક અને (૩) હૃદયના બહુમાન સાથે, ગ્ય કાળે અને (૪) જીવનમાં ઔચિત્ય જાળવીને થ જોઈએ. આમ કરવાથી
SR No.022349
Book TitleUcch Prakashna Panthe
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay Gani
PublisherVardhaman Jain Tattvapracharak Vidyalay
Publication Year1966
Total Pages584
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy