________________
// નમો નમઃ શ્રી ગુરુ નેમિસૂરયે //
સૂત્રપાઠ કરી શુદ્ધ બનીએ
સ્તોત્ર શિરોમણિ શ્રીભક્તામર સ્તોત્રના | પાઠનો એકનાદ છેલ્લા વર્ષોમાં શ્રી સંઘમાં પ્રવર્તે છે. સારું છે. શ્રી ભક્તામરસ્તોત્ર એ પુષ્ટિસ્તોત્ર છે, જયારે શ્રી પંચસૂત્ર એ શુદ્ધિસૂત્ર છે. પુષ્ટિ એટલે પુણ્યોપચય-પુણ્યનો સંચય અને શુદ્ધિ એટલે પાપક્ષય. | પુષ્ટિ એ મહેલ છે તો શુદ્ધિ એ પાયો છે. પંચસૂત્ર પૈકીનું પહેલું સૂત્ર, એનું સ્થાન શ્રાવક | ધર્મની આરાધના પહેલાં રાખ્યું છે. તે બતાવે છે કોઈપણ વસ્તુની સ્થાપના પહેલાં ભૂમિશુદ્ધિ કરવી જરૂરી છે.
આ પ્રથમ સૂત્ર ભૂમિકાને શુદ્ધ કરવાનું અગત્યનું કામ કરે છે. જે આત્મકલ્યાણમાં જરૂરી છે. અહીં મૂળસૂત્રનો પાઠ મોટા અક્ષરમાં, અને