SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ ષોડશક પ્રકરણ [ વ્યાખ્યાન તે આત્માના વિદ્યાવાળાના વચનદ્વારાએ જ જાણી શકીએ. વૈદ કરતાં દર્દી ડાહ્યો થાય તે શું પરિણામ આવે ? તેમ આત્માના વૈદેના કથન આગળ આપણે ડેઢ ડાહ્યા થઈએ, ભગવાને આમ કેમ કહ્યું? તે કેમ મનાય? તેને ઠેકાણે ડોકટરને કહેતે ખરો? ત્યાં નથી કહેવાતું. શારીરિક વિદ્યાવાળા વિદને ભસે આવે છે પણ આત્મીય પદાર્થ માટે પરમેશ્વરને ભરોસે આવતું નથી જે ભસે હોય તે તેમાં શંકા આકાંક્ષા વિચિકિત્સાને પ્રસંગ હોય જ નહિ. વૈદે જે ઔષધ આપે તે ખાતાં ફાયદો થશે કે નુકશાન? પચશે કે ઉલ્ટી થશે? તેમ પૂછીને ખાવા માગે તે શું થાય? વિદ નારાજ થાય. ત્યારે ત્યાં શંકા કામ લાગતી નથી. તેમ વૈદે જે દવા આપી તેના કરતાં આ લઉં તે ઠીક! બીજા બાટલા ઉપર ધ્યાન આપે તે શું થાય? વૈદ કે વૈદના કથનની નિંદા કરો તે શું થાય તે વિદના વિરોધી બનીએ. જેશી જેશી પણ એક વિચારવાળા નથી દેતા તેમ વૈદ વૈદ પણ એક સરખા વિચારવાળા ન હોય. જે વિરોધી હોય તેને પુછવા જાવ તે શું થાય? વિરોધી વૈદના પરિચયમાં સંસર્ગમાં રહેવાથી શું પરિણામ થશે? અને તે દવા ખાવા આપે તે શું પરિણામ? તેવી રીતે આત્માને ગુણેને અંગે આત્માની દવા અરિહંતે આત્માને તેના વિકારેને, પ્રકૃતિને દેખીને દેખાડી છે. ફળ મળશે કે નહિ? આ સારા છે માટે તેની સાથે રહેવું. આ બધુ ધર્મમાં તમને પાલવે છે. પણ દવાની ભૂકમાં એ કરવું નથી પાલવતું; આત્માના કલ્યાણમાં ચારે ભાળ ઘટી રાખીને આગળ વધવું છે. માટે શાસ્ત્રકારો કહે છે કે તેના ચિહ્નો છે. તેમ જ્યારે ક્રોધના કડવાં ફલની ધારણ થાય, સહન કરવામાં એક્ષ-પરમપદની ધારણ થાય, સંસારની ચારે ગતિ દુઃખવાળી છે તેવુ ચક્કસ થાય, ત્યારે દુઃખના દુઃખ દૂર કરવા દ્વારાએ અનુકમ્પાદિ કરી શકાશે.
SR No.022335
Book TitleShodashak Prakaran
Original Sutra AuthorN/A
AuthorChandansagar, Saubhagyasagar
PublisherJain Pustak Pracharak Samstha
Publication Year1957
Total Pages338
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy