________________
: ૪ : છે, કે અમે આપના બાળકો આપને શ્રદ્ધાંજલિ અર્પવા ભાગ્યશાળી થયા છીએ.
અમારી તે એજ ભાવના છે કે મુક્તિરૂપી સ્ત્રીને રીઝવવા માટે આપ અદ્રશ્યરૂપે પણ અમારા હૃદય-મંદિરમાં જ્ઞાનરૂપી દીપક પ્રગટાવે. દર્શન અને ચારિત્રની જે અમર ભેટ તમે આપી ગયા છે તે પ્રવજ્યારૂપ દીપકને જીવનની અંતિમ સંધ્યા સુધી અબાધિત રાખજે.
અહિંસા, સંયમ અને પરૂપ સ્વસ્તિક વડે આત્મમંદિરનું આંગણુ શણગારવા સામર્થ્ય આપશે. દાન, શીયળ, તપ અને ભાવનાના મઘમઘતા પુષ્પોની મઘમઘતી માળા વડે હદયરૂપ બગીચાને મઘમઘતે બનાવવા શક્તિ આપશે.
છેલ્લી અમારી પ્રાર્થના એ છે કે હે દયામૂર્તી સમ્યગદર્શનને સૂર્ય અમારા આત્મ રૂપ આકાશમાં સહ કિરણેથી જીવનને છેલ્લા શ્વાસે શ્વાસ સુધી ગમગતે રાખશે.
હે ક્ષમામૂર્તિ અમારી આ શ્રદ્ધાંજલિ સ્વીકારી અમને અનુગ્રહિત કરશે.
અમે છીએ આપની ચરણસેવિકા, સુજ્ઞાનશ્રીજી તથા સુબુદ્ધિશ્રીજી