________________
૧૧૫ વ્યવહાર કરી તે જીવને અવરૂપ પુદ્ગલમાં રમણિકપણું જાણવું,
તથા ત્રીજુ સત્ર નયને મતે જીવને શુભાશુભરૂપ પરિણામે કરી પુણ્ય અને પાપરૂપ આશ્રવમાં રમણિકપણું જાણવું.
તથા શબ્દ અને સામભિરૂઢ એ બે નયને મતે તે જીવને સંવર અને નિર્જરા એ બે તત્ત્વમાં રમણિકપણું જાણવું.
તથા એકલા સમભિરૂદનયને મતે જે વારે જીવે ઘાતીકમ ખપાવી, જ્ઞાનાદિ અનંત ચતુષ્ટય લક્ષ્મી પ્રગટ કરી, તે વારે એને દ્રવ્યમોક્ષપદમાં રમણિકપણું જાણવું
એ રીતે એ નવ તત્વમાં રમણિકપણું એક જીવતત્વને જાણવું, પણ જે પ્રાણીને ઈષ્ટદેવ તથા ગુરુકૃપા થકી જ્ઞાનીએની આજ્ઞાનુસાર સાપેક્ષપણે નય-નિક્ષેપાની કળા પ્રાપ્ત થઈ હશે, તે પ્રાણીને એ પ્રશ્નોને અર્થ વિચારતાં ઘણી રીઝ ઉપજશે, માટે નય, નિક્ષેપા, દ્રવ્ય, ભાવ, નિશ્ચય – વ્યવહારનું જાણપણું ગુરૂગમથી નય સાપેક્ષપણે વિશેષ રીતે કરવું, એટલે સમકિતરૂપ રત્નની પ્રતીતિ થાય.'
૧૪૬ શિષ્ય –એ નવ તત્વમાંથી અશુભ પ્રકારે રમણિક સ્વભાવમાં કેટલા તત્વ પામીયે? ગુરૂ –
ગ સૂત્રનયને મતે અશુભ પ્રકાર રમણિક સ્વભાવમાં પાંચ તત્વ પામીયે, તે કહે છે –