SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ શા સુધારસ વિવેચન - ભાગ-૧ જીવનને પવિત્ર કરનાર મહાન ગ્રન્થ સાંભળવાનો છે. સાંભળવા માત્રથી પાવન કરનારી ૧૨ ભાવનાઓ જેમાં રહેલી છે. એક-એક ભાવના હદયના તારને ઝણઝણાવનાર છે. જે સાંભળવાથી અદ્ભુત એવી સમતા પ્રગટ થાય છે. મોહનું આવરણ દૂર થાય છે. એવી તો આ ભાવના કેવી છે? એના નામ શું છે? ગ્રન્થકાર સ્વયં હવે પછીના શ્લોકોમાં એ ભાવનાના નામ નિર્દેશ કરશે. आर्तरौद्र परिणाम पावक- प्लुष्ट भावुक विवेक सौष्ठवे। मानसे विषयलोलुपात्मनां क्वप्ररोहतितमां शमाडकूरः ॥ ५ ॥ । આત અને રૌદ્ર ધ્યાન રૂપી આગ સુંદર વિવેકની શોભાને સળગાવી દેનાર છે. જેના હૃદયમાં વિવેકની શોભા સળગી ગઈ છે એવા વિષયલોલુપ આત્માઓના હૃદયમાં શમના અંકૂરો કેવી રીતે પ્રકટ થાય ? જે સળગાવે તે આગ.. લાકડા-ઘાસ-જંગલ-ઘર-વસ્ત્ર આદિ બધું જ જેનાથી બળીને ખાખ થઈ જાય છે. એ જ પ્રમાણે વચનની આગ-વાણીની આગ પણ તીવ્ર હોય છે. બોલીને બગાડનારા દુનિયામાં ઘણા હોય છે. શું બોલે? પાનના ગલ્લા પાસે ઊભો રહીને એક ભાઈ ગલ્લાવાળાને ઉદ્દેશીને કહે છે કે ભાઈ, સિગારેટ સળગાવવા માટે માચીસ આપને. એણે જવાબમાં આંગળી ચીંધી ને કહ્યું કે સામે ઝાડ નીચે જે ભાઈ ઊભેલ છે એની જીભને તારી સીગારેટ અડાડીશ તો પણ સળગી જશે. પેલો ભાઈ કહે એવું તે બનતું હશે? કોઈની જીભને સિગારેટ અડાડીએ અને સળગી જાય....! ગલ્લાવાળો કહે અરે ભાઈ. એની જીભે તો કેટલાયના ઘર સળગાવી નાંખ્યા છે, તો તારી સિગારેટ નહીં સળગે? આવાણીની આગ ખતરનાક છે. અહિ ઉપાધ્યાયજી મહારાજ વિચારો ની આગની વાત કરે છે. આર્તધ્યાન અને રૌદ્ર ધ્યાન એ વિચારોની આગ છે. દુષ્ટ વિચારો, કોઈને મારવાના વિચારો. આઅને રૌદ્ર ધ્યાનના ૪-૪ પ્રકાર છે. જે અગાઉના પ્રકરણમાં નામનિર્દેશ અને ટૂંકા વિવેચનથી સમજાવેલ છે. ઈષ્ટ વસ્તુ મળે એના વિચારો. ઈષ્ટનો વિયોગ નહીં થાય ને એવા
SR No.022308
Book TitleShant Sudharasam Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnachandrasuri
PublisherPurushadaniya Parshwanath Jain Sangh
Publication Year2002
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy