SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬ શાન્ત સુધારસ વિવેચન - ભાગ-૧ છે. કહ્યું પણ છે કે.. “ગુજરથ મરે છે. પરિવાર, વ્યવહાર અને લોભના મારથી સાધુ મરે છે અહંકાર, સહકાર અને વિધ્યાચારથી” આ બધાથી બચવાનું છે. મોહને કાબૂમાં લેવાનો છે. મોહનો ઉદય હોય તો એક સરખી પરિસ્થિતિમાં પણ તફાવત પડે છે. મરીચિને માંદગી આવી અને ગાઢ મિથ્યાત્વનો ઉદય થયો. સનતકુમારને માંદગી આવી તો મોહને હણવાનો પુરૂષાર્થ કર્યો. મમ્મણને ત્યાં શ્રેણીક આવ્યા તો ધન વધારવાની તીવ્ર ઈચ્છા થઈ. શાલિભદ્રને ત્યાં શ્રેણીક આવ્યા તો વૈરાગ્ય થયો. - હવે પ્રશ્ન એ છે કે મોહઝેરને ઉતારવા શું કરવું? શાન્ત સુધારકાર અત્રે એનો જ જવાબ આપે છે. સમતા મળે છે ભાવનાઓથી સંસારીજનો મોહથી વ્યાપ્ત હોવા છતાં અનિત્યાદિ ભાવનાઓ વડે આત્માને ભાવિત કરે તો સમતા, સુખ અને શાંતિ મળી શકે છે. આ શાન્તસુધારસમાં એભાવનાની જ વાત કરી છે. આપણે ભાવનાને સમજવાની છે, ગાવાની છે કે જીવનમાં ઉતારવાની છે. “તપ-ત્યાગ-દાનથી પુણ્ય મળે છે પણ શાન્તિ તો ભાવનાથી જ મળે.” સંસારના રાગ-દ્વેષ કે મોહમાં એ ફસાતો નથી. વસ્તુની પૂર્ણ સ્થિતિનું દર્શન કરે છે. એ સંયોગ-વિયોગ, એકત્વઅન્યત્વના ચિંતન દ્વારા આર્તધ્યાનાદિથી દૂર રહે છે. ભાવનાઓનો અચિંત્ય પ્રભાવ છે. મહિમા છે. માટે આ ગ્રન્થને સાંભળો, મનન કરો, ચિંતન કરો. નિયમિત રોજ આ ગ્રન્થનો પાઠ કરો. અપૂર્વ શાન્તિની પ્રાપ્તિ થશે... મેળવી નીતિથી, વાપરજે પ્રીતિથી, ભોગવી રીતિથી, તો બચી જશો ધ્યતિથી.” યદિ મવમમ વેર પકડ્યું, यदि च चित्तमनन्त सुखो-न्मुखम् शृणुत तत्सुधिया शुभ भावना मृतरसं मम शान्तसुधारसम् ॥ ३ ॥ હે સુબુદ્ધિમાનો! જો તમારું ચિત્ત ભવભ્રમણના ખેદથી વિમુખ
SR No.022308
Book TitleShant Sudharasam Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnachandrasuri
PublisherPurushadaniya Parshwanath Jain Sangh
Publication Year2002
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy