SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૨ સંવર ભાવના “રત્નત્રયીની આરાધના કરવી” તત્વાર્થસૂત્રમાં પણ જણાવ્યું છે કે सम्यग्दर्शन-ज्ञान चारित्राणि मोक्षमार्ग : ॥ સમ્યગુ દર્શન, સખ્ય જ્ઞાન, અને સમગુ ચારિત્ર એ મોક્ષના માર્ગ છે. એ ત્રણે સાથે હોય તો જ મોક્ષ માર્ગ કહેવાય છે. એકલું જ્ઞાન, એકલું દર્શન કે એકલું ચારિત્ર મોક્ષમાર્ગ નથી. આ રત્નત્રયીની આરાધના કરી જલ્દીમાં જલ્દી મોક્ષ મેળવવો. કષાય રહિત એવા સંયમની સાધના કરવાની...! વિષયના વિકારોને દૂર કરવાના સંયમ ધર્મનું પાલન કરવાથી વિષયના વિકારો દૂર થાય છે. આત્મગુણની પુષ્ટિ થાય છે. સંવર ભાવના પ૭ (સત્તાવન) ભેદો પૈકી પાંચ સંયમના ભેદો આજે તમને સમજાવવાના છે. (૧) સામાયિક - આત્માને વિષમ સ્થિતિમાંથી સમ સ્થિતિમાંથી લાવવો તે સામાયિક છે. તે બે પ્રકારે છે (૧) ઈત્વરકથિક (૨) યાવતકથિક (૧) ઈન્દર કથિક પાંચ ભરત ક્ષેત્ર અને પાંચ ઐરાવતક્ષેત્રમાં પહેલા અને છેલ્લા તીર્થકરના શાસનમાં જે લઘુ દીક્ષા અપાય છેતે. (૨) યાવતુકથિક મહાવિદેહ ક્ષેત્રમાં તથા ૨૨ તીર્થકરના શાસનમાં જે દીક્ષા અપાય છે. તે વાવ કથિક કહેવાય. કેમ કે ત્યાં શરુઆતથી જ વડી દીક્ષા હોય છે. લઘુ દીક્ષા નહીં. શ્રાવકો સામાયિક પૌષધ કરે તે... ઈન્દર કથિક જાણવું. (૨) વેદોપરથાનિય ચારિત્ર પૂર્વના પર્યાયોનો છેદ કરી ફરીથી મહાવ્રતોનું સ્થાપન કરવું તે છેદોપસ્થાપનીય! પહેલા અને છેલ્લા તીર્થકરના શાસનમાં પહેલા લઘુદીક્ષા આપવામાં આવે અને જ્યારે વડીદીક્ષા આપવામાં આવે ત્યારે પૂર્વના પર્યાયનો છેદ કરે તે. તેમજ એક તીર્થકરના મુનિને બીજા તીર્થકરના શાસનમાં પ્રવેશ કરવો હોય ત્યારે તે મુનિને પુનઃ ચારિત્ર ઉચ્ચરાવવું પડે. તે છેદોપસ્થાપનીય! રરતીર્થકરોના શાસનમાં તથા મહાવિદેહ ક્ષેત્રમાં આ ચારિત્રહોતું નથી.
SR No.022308
Book TitleShant Sudharasam Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnachandrasuri
PublisherPurushadaniya Parshwanath Jain Sangh
Publication Year2002
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy