SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ શાન્તસુધારસ વિવેચન - ભાગ-૧ ૧૭૫ જીવે શું કરવું?' એવો પ્રશ્ન પણ સ્વાભાવિક રીતે તમને થાય? એના જવાબમાં એમ કહેવાય....કે તારી બુદ્ધિને સ્વચ્છ કર... અને સ્વચ્છ બુદ્ધિને ધારણ કરીને પાપને રોકવા માટે તું સમર્થ બની જા..! દેવ-ગુરુ-ધર્મ પ્રત્યે શ્રદ્ધા-સમર્પણ અને શરણાગતિ સ્વચ્છ બુદ્ધિ દ્વારા જ થાય છે... બુદ્ધિનો દુરુપયોગ બંધ કરો. બુદ્ધિના દુરુપયોગથી જીવનું પતન થાય છે. અને બુદ્ધિ ની શુદ્ધિ ભાવનાઓ થી જ થાય છે માટે ભાવનાઓ વડે બુદ્ધિને શુદ્ધ અને પવિત્ર કરીને નિરંતર શાન્તરસનું પાન કર...!! ભાવ શ્રાવક ભાવ શ્રાવક બનવું હોય તો નીચે મુજબના છ ગુણો જીવનમાં ઉતારવા જોઈએ. (૧) કૃતવૃત કમ - વ્રતક્રિયા કરવામાં ઉદ્યમવંત હોય, ધર્મવ્રતનું શ્રવણ કરવામાં તત્પર હોય, સાંભળ્યા પછી વ્રતના પ્રકાર જાણે અને તેના અતિચાર જાણે અને વ્રતનો સ્વીકાર કરે. સ્વીકાર્યા બાદ દઢતાપૂર્વક પાલન કરે. (૨) શીલવંત - સદાચારીનો સંપર્ક કરે. પરગૃહનો ત્યાગ કરે, ઉદ્ભટ વેશ છોડે, વિકારી વચનનો ત્યાગી હોય. બાલિશ ચેષ્ટા અને જુગાર આદિ વ્યસનોથી મુક્ત હોય. (૩) ગુણવંત. - શાસ્ત્રનો સ્વાધ્યાય કરે, તપનું આચરણ કરે. નિયમનું પાલન કરે, વિનયી હોય, દુરાગ્રહનો ત્યાગ કરે. અને નિરંતર જિનવાણીનું શ્રવણ કરે. નિષ્કપટી હોય. (૪) વ્યવહારી - ખોટું કવિસંવાદીન બોલે. સૌની સાથે મૈત્રીભાવ હોય. (૫) ગરુ શુશુષ - ગુરુના જ્ઞાન ધ્યાનમાં સહાયક હોય, ગુરુના ગુણો બોલનાર હોય. ગુરુને ઔષધાદિનું દાન કરે. બહુમાનભાવ રાખી ગુરુની ઈચ્છાને અનુસરવું. (૬)પ્રવચના શાળઃ- શાસ્ત્રો ભણે, તેના અર્થ સાંભળે. ઉત્સર્ગ અને અપવાદ માર્ગનો જાણકાર હોય. વ્યવહાર કુશળ હોય. શુભ ભાવથી ધારણ કરવો.
SR No.022308
Book TitleShant Sudharasam Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnachandrasuri
PublisherPurushadaniya Parshwanath Jain Sangh
Publication Year2002
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy