SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૬ આશ્રવ ભાવના આશ્રવ ભાવના હિ यथा सर्वतो निजरैरापतद्भि : प्रपूर्येत सद्यः पयोभिस्तटाकः तथैवाश्रवै : कर्मभि : संभृतोऽङी મવેચાવુર - શંવત : પવિત્ત ? જેવી રીતે ચારે તરફથી વહેતા ઝરણા, પાણી વડે તળાવને પૂર્ણ ભરી દે છે તેવી રીતે આશ્રવો વડે જીવાત્મા કર્મથી ભરાઈ જાય છે, આકુળવ્યાકુળ અને ગંદો બને છે. ઉપાધ્યાયવિનયવિજયજી મહારાજ શાન્તસુધારસમાં સાતમી આશ્રવ ભાવનાનું વર્ણન કરતાં જણાવે છે કે જીવાત્મા સરોવર જેવો છે. જેમ કે કોઈ સરોવરમાં આજુબાજુથી વહેતા ઝરણાનું પાણી ઠલવાય એટલે એ સરોવર પુરું ભરાઈ જાય, વ્યાકુળ બની જાય અને કાદવ વડે ગંદુ પણ બની જાય છે. બસ એવું જ છે જીવાત્માનું !! જેમાં આશ્રવો દ્વારા કર્મનું જલ સતત પડે છે. નિરંતર કર્મોનો પ્રવેશ આત્મામાં થયા જ કરે છે જેથી આત્મા વ્યાકુળ ચંચળ અને ગંદો બની જાય છે. કર્મના કારણે જીવ અસ્થિર બને છે. સુખ-દુઃખ, આનંદ-ખેદ, સંયોગવિયોગ આ બધું જ કર્મથી જ બને છે. અને કર્મ જેના દ્વારા આવે એ આશ્રવ માટે કર્મને દૂર કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. જો કે કર્મને દૂર કરવા માટે નો પ્રયત્ન કરવા છતાં બમણા જોરથી નવા કર્મો આત્મામાં પ્રવેશ કરે છે એટલે સર્વથા કર્મ રહિત દશા પ્રાપ્ત કરવામાં મુશ્કેલીનો અનુભવ તો થશે જ આ જ વાતને ઉપાધ્યાયજી હવે પછીની ગાથામાં સમજાવે છે. यावत्किञ्चिदिवानुभूय तरसा कर्मह निर्जीर्यते तावच्चाश्रव शत्रवोऽनुसमयं सिञ्जन्ति भूयोऽपि तत् । हा कष्टं कथमाश्रव प्रतिभटा : शक्या निरोद्धं मया ? संसारादतिभीषणान्मम ह हा मुक्ति ः कथं भाविनी ॥२॥ s
SR No.022308
Book TitleShant Sudharasam Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnachandrasuri
PublisherPurushadaniya Parshwanath Jain Sangh
Publication Year2002
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy