SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૫ શાન્તસુધારસ વિવેચન - ભાગ-૧ આત્માથી પુદ્ગલ અન્ય છે આવું ભેદ જ્ઞાન ભેજામાં ઉતારવું પડે છે. ટુંકમાં આ પુદ્ગલથી કશું જ સુખ નથી માટે એના મોહને છોડવો જોઈએ. મુંબઈનું એક દ્રષ્ટાંત તમને કહું. મુંબઈમાં શ્રેષ્ઠિવર્ય શ્રી માણેકલાલ ચુનીલાલને ત્યાં ઘર દેરાસર હતું. દરરોજ ત્રિકાળ ભક્તિ કરે. ખૂબ જ ધર્મિષ્ઠ અને ભાવુક આત્મા હતા. દયા ક્ષમા અને નમ્રતાનો અભૂત ગુણ હતો. એક વાર એક ગૃહસ્થ ત્યાં દર્શન કરવા આવ્યો. દર્શન કરીને બહાર નીકળતાં પહેલા કોઈ ન દેખે તેમ ત્યાં રહેલ રૂા. ૮૦ હજારની કિંમતની રત્ન પ્રતિમા ઉઠાવી લે છે. પણ ચતુર માણેક શેઠની નજર બહાર આ દ્રશ્ય ન રહ્યું. તેઓ તરત જ કળી ગયા કે આ દુઃખિયારો સાધર્મિક છે. શેઠ માણેકલાલે એ ચોરને પ્રેમથી બોલાવ્યો. સાધર્મિક ભક્તિનો લાભ આપવાનો અપૂર્વઆગ્રહ કર્યો. શેઠનીવાત પેલો ટાળી ન શક્યો. જુઓ શેઠની કેવી ઉદારતા છે ! ચોર તરીકે જાણવા છતાં કશું કહેતા નથી. એને પ્રેમથી જમાડે છે અને વાતવાતમાં જાણી લે છે કે જુગાર રમતાં રમતાં ૮૦,૦૦૦ રૂા. ગુમાવ્યા છે. આ વાત જાણીને તરત જ શેઠે રૂા. એંશી હજાર રોકડા એના હાથમાં મુક્યા અને કહ્યું કે જો ભાઈ હવે પછી ક્યારે ય જુગાર રમીશ નહિ અને જ્યારે પણ મુશ્કેલી પડે તો આવી જજે મારી પાસે. પેલો ચોર તો.. કાપો તો લોહી ન નીકળે એવો થઈ ગયો. શેઠના પગમાં પડીને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો. શેઠજી! મને માફ કરો હું તમારો ગુનેગાર છું. મેં ભગવાનની ચોરી કરી છે. તમારા જેવા મહાપુરૂષને હું ઓળખી ન શક્યો. આજ પછી હું ક્યારે પણ જીવનમાં જુગાર રમીશ નહિ અને એના જીવનનું પરિવર્તન થઈ ગયું. પુદ્ગલનો રાગ ઓછો હોય તો જ આ શક્ય બને છે. જરા વિચારી જો જો કે માણેકલાલ શેઠની જગ્યાએ તમે હોત તો શું કરત! સભા - મારી મારીને હાડકાં ખોખરા કરી નાંખીએ. બસ એજ સુચવે છે કે પુદ્ગલ ઉપર કેટલો રાગ છે તમને! આત્માથી ભિન્ન એવા પુગલોનો પ્રવેશ આત્મદ્રવ્યમાં થવાથી આત્માની સ્થિતિ બગડી ગઈ.
SR No.022308
Book TitleShant Sudharasam Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnachandrasuri
PublisherPurushadaniya Parshwanath Jain Sangh
Publication Year2002
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy