SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ એકત્વ ભાવના ૧૧૨ કર્મ જેમ નાચ નચાવે તેમ જીવે નાચવાનું છે. કર્મ જડ છે. પુદ્ગલ છે તે ચેતન આત્માને નચાવે છે. આ આત્મા કર્મ મેલથી મુક્ત બની જાય તો શુદ્ધ સુવર્ણની જેમ ચમકી ઉઠે, મોક્ષમાં કર્મ નથી. વિકાર નથી આત્મા ઉપર એક પણ ડાઘ નથી. “ઈન્દ્રિયોના સુખો કર્મ જળ્યું છે. આત્મિક સુખ કર્માણી મળે છે.” માટે કર્મજન્ય પદાર્થો ઉપર મમત્વકે આસક્તિ રાખવી નહિ. એકત્વની દઢ ભાવનાશાળી જીવને કોઈ શક્તિ ચલાયમાન કરવા સમર્થ બનતી નથી. હવે આત્મા કેવો છે એનો વિચાર કરીએ... આત્મા એ જ પરમાત્મા છે. “પપ્પા તો પરમા” તે જ્ઞાન દર્શન અને ચારિત્ર ગુણથી યુક્ત છે અને પરિપૂર્ણ છે. ઈન્દ્રિયો રૂપી છે એના વિષયો રૂપી છે જ્યારે આત્મા અરૂપી છે. આત્મા અનંત શક્તિમાન છે. જ્ઞાનાદિનો અભ્યાસ સતત ચાલુ રાખવાનો છે. આત્માને ઈન્દ્રિયો સાથે જોડવાનો નથી અને ત્યાંથી વિમુખ કરવાનો છે. વિષયોથી વિમુખ બનીને અધ્યાત્મમાં જેની રુચિ થાય અને મોક્ષ જેનું લક્ષ્ય થઈ જાય તે આત્મજ્ઞાની કહેવાય. તે આત્મજ્ઞાની પરમાત્માને અનુભવ મંદિરમાં રાખી શકે છે. ગ્રન્થકારશ્રી અહિં જણાવે છે કે આવો આત્મા જે પરમેશ્વર છે તે સ્વાનુભવ મંદિરમાં રમમાણ હો.. परमेश्वरः एक एवानुभव सदने रमतामविनश्वर : આ આત્મા એ જ મહાન છે માટે કહેવાય કે “તું તારું ધ્યાન કર સમતા સુધાનું પાન કર” આત્માનું સ્વરૂપનિર્વિકલ્પ છે. આત્મજ્ઞાનીના ચિંતનમાં કોઈ વિકલ્પની માયાજાળ હોતી જ નથી. એની બુદ્ધિ, એનું મન અને એનું હૃદય પરમાત્મમય જ હોય છે. પ્રતિદિન તમે એકત્વ ભાવનું ચિંતન કરતા રહો પછી હૃદયમાં સમતારસનો આવિર્ભાવ થશે. શાન્ત સુધાનો રસ એ બાહ્ય સુખથી ખૂબ-ખૂબ દૂર છે એનો જરા આસ્વાદ લે. સમતાસુધાને થોડું ચાખ પછીતને મજા આવી જશે. પછી સતત શાન્તસુધા સરોવરમાં સ્નાન કરતા રહો. પાંચે ઈન્દ્રિયોના ઝેરને દૂર કરો અને નિજાનંદની પ્રાપ્તિ કરો, એજ શુભ ભાવના
SR No.022308
Book TitleShant Sudharasam Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnachandrasuri
PublisherPurushadaniya Parshwanath Jain Sangh
Publication Year2002
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy