SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ એકત્વ ભાવના ‘હે બ્રાહ્મણ, સ્ત્રી, પુત્ર વગેરે સ્વજનોનો ત્યાગ કરનારા અને સર્વ પાપવૃત્તિઓનો પરિહાર કરનારા ભિક્ષુઓને કોઈ વસ્તુ પ્રિય નથી હોતી, કોઈ વસ્તુ અપ્રિય નથી હોતી. એમને તો સર્વત્ર સમભાવ - સમત્વ હોય છે. ‘હે બ્રાહ્મણ, પરિગ્રહથી સર્વથા મુક્ત અણગાર એવા ભિક્ષુઓને તો હું એકલો છું એવી એકત્વની મસ્તીમાં ઘણું સુખ મળે છે. ત્યારે ઈન્દ્રે કહ્યું : હે રાજર્ષિ, ઠીક છે તમારી વાત, પરંતુ તમે કિલ્લાપ્રાકાર બનાવીને, ગોપુર, અટ્ટાલિકાઓ, યુદ્ધનાં સ્થાન, શસ્ત્રાગાર ઈત્યાદિ બધું જ વ્યવસ્થિત બનાવીને જ્જો. રાજર્ષિએ પ્રત્યુત્તર આપ્યો ઃ सद्धं च नगरं किच्चा, तव संवरमग्गलं । खंति निउण पागारं तिगुत्तं दुप्पधंसगं ॥ धणुं परक्कमं किच्चा, जीवं च ईरिअं सया । धि च केअणं किच्चा, सच्चेणं पलिमंथ ॥ तव नाराय जुत्तेणं भित्तुणं कम्मकं चुअं । मुणी विगढं संगामो भवाओ परिमुच्चई ॥ . હે બ્રાહ્મણ, પામવા માટે શસ્ત્ર વગેરે પણ બનાવી લીધાં છે, સાંભળો : ‘શ્રદ્ધા’ નામે નગર વસાવ્યું છે. ‘પ્રશમ’ને નગરનો મુખ્ય દરવાજો બનાવ્યો છે. ‘ક્ષમા’ને ગઢ બનાવ્યો છે. મનોગુપ્તિ, વચનગુપ્તિ, કાયગુપ્તિને અટ્ટાલિકા, ખાઈ અને શસ્ત્ર બનાવ્યાં ૧૦૪ છે. મેં એક અભિનવ નગર વસાવ્યું છે. શત્રુ ઉપર વિજય વીર્યોલ્લાસને ધનુષ્ય બનાવ્યું છે. પાંચ સમિતિની ધનુષ્યની દોરી બનાવી છે. ધૈર્ય’ને ધનુષ્ય પકડવાની મૂઠી બનાવી છે. ‘તપ’નાં બાણ - તીર બનાવ્યાં છે. હે બ્રાહ્મણ, તપના તીરોથી કર્મશત્રુને મારીને મુનિ સંગ્રામ વિજેતા બને છે અને સંસારમાંથી મુક્ત થાય છે.
SR No.022308
Book TitleShant Sudharasam Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnachandrasuri
PublisherPurushadaniya Parshwanath Jain Sangh
Publication Year2002
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy