SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્નોત્તરી ૩૦ કહેવાય છે. પ્રશ્ન ૧૭૪.ભરત ક્ષેત્રમાં ઉત્પન્ન થનારાં સમૂર્છાિમ જીવો ક્યા સમજવા? ઉત્તર : જેમ છાણમાંથી વિંછી ઉત્પન્ન થાય છે તે સમૂર્છાિમ કહેવાય છે. ઉનાળાની ત્રસ્ત પછી સૌ પ્રથમ વરસાદ થાય છે ત્યારે ખાડા ટેકરામાભરાયેલા પાણીમાં દેડકાની ઉત્પત્તિ થઈ જાય છે. તે બધા મોટે ભાગે સમૂર્છાિમ જાણવા. સામાન્ય રીતે મોટા આયુષ્યવાળા સમૂર્થ્યિમ પર્યાપ્તા તિર્યંચો મનુષ્ય લોકની બહાર હોય છે. પ્રશ્ન ૧૭૫. ગર્ભજ તિર્યંચ જેવો કોને કહેવાય છે? ઉત્તરઃ ગર્ભથી ઉત્પન્ન થનારાતિય જીવોને ગર્ભજતિર્યંચ જીવો કહેવાય છે. તેનાં ઘણા પ્રકારો છે. . પ્રશ્ન ૧૭૯. તિર્યંચ પંચેન્દ્રિયના વીસ ભેદો ક્યા ક્યા થાય છે? ઉત્તરઃ તિર્યંચ પંચેન્દ્રિયના વીસ ભેદો નીચે પ્રમાણે છે: (૧) સમૂર્છાિમ જલચર અપર્યાપ્તા (૨) સમૂર્છાિમ જલચર પર્યાપ્તા (3) સમૂર્છાિમચતુષ્પદ અપર્યાપ્તા (૪) સમૂર્શિમચતુષ્પદ પર્યાપ્તા (૫) સમૂર્છાિમ ઉરપરિસર્ષ અપર્યાપ્તા (૬) સમૂર્છાિમ ઉરપરિસર્પ પર્યાપ્તા (૭) સમૂર્છાિમ ભુજપરિસર્પઅપર્યાપ્તા (2) સમૂર્છાિમ ભુજસરિસર્પ પર્યાપ્તા (૯) સમૂર્છાિમ ખેચર અપર્યાપ્તા (૧૦) સમૂર્છાિમ ખેચર પર્યાપ્તા (૧૧) ગર્ભજ જલચર અપર્યાપ્તા (૧૨) ગર્ભજ જલચર પર્યાપ્તા (૧૩) ગર્ભજ ચતુષ્પદ અપર્યાપ્તા (૧૪) ગર્ભજ ચતુષ્પદ પર્યાપ્તા (૧૫) ગર્ભજ ઉરપરિસર્પ અપર્યાપ્તા (૧૬) ગર્ભજ ઉરપરિસર્ષ પર્યાપ્તા (૧૭) ગર્ભજ ભુજપરિસર્પ અપર્યાપ્તા (૧૮) ગર્ભજ ભુજપરિસર્પ પર્યાપ્તા (૧૯) ગર્ભજ ખેચર અપર્યાપ્તા (૨૦) ગર્ભજ ખેચર પર્યાપ્તા. પ્ર ૧૭૭. અસંશી અપર્યાપ્ત તિર્યંચ પંચેન્દ્રિયજીવો કેટલા પ્રકારે હોય છે? ક્યા? ઉત્તરઃ અસંજ્ઞી અપર્યાપ્તા તિર્યંચ પંચેન્દ્રિય જીવો બે પ્રકારનાં હોય છે? (૧) લબ્ધિ અપર્યાપ્તા (૨) કરણ અપર્યાપ્તા. પ્રશ્ન ૧૭૮.ગર્ભજ અપર્યાપ્તા તિર્યંચ પંચેન્દ્રિય જીવો કેટલા પ્રકારે છે ક્યા? ઉત્તરઃ ગર્ભજ અપર્યાપ્તા તિર્યંચ પંચેન્દ્રિય જીવો બે પ્રકારનાં છે:
SR No.022307
Book TitleJivvichar Dandak Laghu Sangrahani Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Prakashan Trust
Publication Year1994
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy