SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ પણામાં નથી આવ્યા. બીજાને માર્ગ પણ દેખાડી શકતા નથી અને તેમને દેવમાં ખપવું છે. હવે શી રીતે ખપવું? ક્યાં સુધી ખપવું? વીતરાગની શાંત મુદ્રા. કલિકાલ સર્વજ્ઞ શ્રીમાન્ હેમચંદ્રાચાર્યજી મહારાજ પણ કહે છે કે જિનેન્દ્ર મુદ્રા તવ શાંતાસામાન્ય નિયમ છે કે નાટક કરનારો ઋધેિ સમૃદ્ધિ ગુણો સાહ્યબી ઠકુરાઈન મેળવી શકે, પણ જરૂર ભેખ તો એ જાતનો મેળવશે. ચાળા-ચટકા એ જાતના મેળવશે. નહીંતર નાટકમાં પાર્ટ (PART) ન લઈ શકે. ભેખ અને ચાળા જરૂર મેળવશે. નાટકયાનો રિવાજ કે આકાર તો મેળવી લ્ય. આકાર મેળવ્યા વગર નાટકનો ભાગ ન લઈ શકે. રાણાપ્રતાપ બને તો મેવાડનો વેષ પહેરે. આબેહૂબ મેવાડી જ લાગે. જેમ નાટક કરનારો વેષ અને આકાર પણ લે છે. તો ધર્મના દેશક બને તો તેમને આત્મામાં વીતરાગપણું ન આવે તો પણ વિતરાગનો આકાર તો લેવો હતો. દરેક આસ્તિકો શ્રોતાનો ઉપદેશ કયો આપે ? ક્રોધાદિક શત્રુ છે. આસ્તિક જગત સત્ય છે. જગત તો દરેકને ફાંસા કે માયારૂપે, કેદખાના કે દાવાનળરૂપે દેખનારા છે. તો ઉપદેશ એ કે સંસારથી દૂર રહેવું જોઈએ. ઉપદેશક કો હોય ? ત્યાગી. ઉપદેશક પોતે દૂર ન રહે તો ડાહી સાસરે ન જાય ને ગાંડીને શિખામણ દે.” તેવી વાત થઈ. ત્યાગભાવના પોષનાર ઉપદેશકે પોતે ત્યાગ ભાવનામાં રહેવું જોઈએ. નાટકીયા ત્યાગી અને સાચા ત્યાગમાં ફરક એટલો છે. પેલો દેખાવ માત્રથી, પરિણતિનું બિન્દુ પણ નથી. સાચાત્યાગીને ત્યાગની પરિણતિ હોય. તે જ ત્યાગી ઉપદેશક બને. જગતને કામ ક્રોધાદિકથી બહાર કાઢવાનું હોય, વળી તેને છ શત્રુના તાબામાં રહેવાનું ન હોય. દરેક ધર્મોપદેશકે જગતનું અસારપણું જણાવી કામ ક્રોધાદિથી જગતને દૂર રાખવાનું જણાવ્યું છે તો પોતે પ્રથમ દૂર થવું જોઈએ. સંચાલક સ્વતંત્ર બતાવનાર નથી. તે ઓછો હશે તો પણ પાલવશે. તારઓફિસનો તાર લાવનાર એ અંદર ન સમજે - પણ તાર ખોટો ન મનાય. તેમ સર્વજ્ઞ મહારાજે આ ઉપદેશ કહેલો છે, વીતરાગે આ ઉપદેશ કહેલો છે. પોતાના સિક્કાથી નહીં, સર્વજ્ઞની સહીનો ઉપદેશ આપવો છે. સર્વાનું વચન અને વેશની કિંમત. સર્વજ્ઞ વીતરાગ પરમાત્માએ આમ કહ્યું છે. સંચાલક ન્યૂન ગુણવાળો હજું ચાલી શકે, પણ સ્વયંજ્ઞાનથી બતાવવાનો દાવો કરનાર- મેં પોતે માર્ગ લીધો, એનું ફળ મેં મેળવ્યું. તમારે આવવાની જરૂર છે. તે માર્ગે આંવશો તો જ ફળ મેળવશો. નાટકીયો અંદરના ગુણ) 1 % ૫મિ. ' -- " giE BEN HAPPEA
SR No.022299
Book TitleAshtak Prakaran
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherAnand Prakashan
Publication Year2001
Total Pages138
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy