SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ વખત એકરાર કરે છે. એ વિહે અસંજમે એકવિધ અસંજમ. એ જ કર્મબંધનું કારણઅવિરતિ. એ જ સંસારની જડ માની પ્રતિકમણની જડ. સમ્યકત્વ એક પ્રકારનું કહીએ તો સમ્યકત્વના બધાં ભેદો આવી જાય. તેમ અસંજમના બધા કારણો એકમાં આવી જવા જોઈએ. નહિતર એકવિધ ન રહે. ત્યારે બે પ્રકાર કહ્યા. ત્રણમાં મિથ્યાત્વ અવિરતિ અજ્ઞાન- એમ અવિરતિને ત્રણમાં લીધી. શાસ્ત્રકારો અવિરતિને ધક્કો લગાડવા તૈયાર થયા છે. વ્રતોને મુખ્ય સ્થાને સ્થાપે છે. વ્રતની જરૂર જૈન સિવાય બીજાને નથી. મુદત જતી હોય તેને ખાતુ પડાવી લેવું પડે. જ્યાં સુધી મુદત ન જતી હોય ત્યાં ખાતું પડાવવાનો સવાલ શો? પચ્ચકખાણની તેને જરૂર છે જે અવિરતિમાં કર્મ માનનારા છે. ભવિષ્યમાં મારે કરવું નહિ. એવી પ્રતિજ્ઞાની મારે જરૂર છે. જ્યાં મુદતનો બાધ નથી ત્યાં ખાતું પડાવવાની જરૂર નથી. પચ્ચકખાણ વ્રતો મહાવ્રતો યમો નિયમો શિક્ષાવ્રતો બધાના ઉપચાર કરવાની કોને જરૂર? અપ્રતિજ્ઞામાં કર્મબંધન માને તેને. તેથી તેને પચ્ચકખાણની જરૂર છે. “ન માંસ ભક્ષણે દોષો.” જો પ્રવૃત્તિમાં નુક્શાન નથી તો નિવૃત્તિમાં ફળ ક્યાંથી? પ્રતિજ્ઞાની તેને જરૂર કે વગર પ્રતિજ્ઞામાં નુકશાન માને. આથી શાસ્ત્રકાર મહારાજા હરીભદ્રસૂરિજી કહે છે કે તમે જૈન થયા છો તો પચ્ચકખાણ સમજો . વ્રત કરે તો પાપ રોકાય, તે શ્રધ્ધા ન થાય તો સમ્યકત્વ પણ નથી. માટે એ પાપ રોકાય પચ્ચકખાણ દ્વારા. એ તે કેમ રોકાય તે અધિકાર અગ્રે વર્તમાન. હે પ્રભુ ! સંસારસમુદ્રમાંથી તારવાર એવા ધર્મને તમારા વિના બીજો કોણ મને બતાવે ? કારણ કે બીજાઓ અજ્ઞાતી હોવાથી ઉત્કૃષ્ટદ્યુતવે શી રીતે કહે ? 1 કપ્રક્રણ
SR No.022299
Book TitleAshtak Prakaran
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherAnand Prakashan
Publication Year2001
Total Pages138
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy