SearchBrowseAboutContactDonate
Page Preview
Page 361
Loading...
Download File
Download File
Page Text
________________ ३२० परिशिष्टम्-७ અવશ્ય કરવો જોઈએ. ૨૮/૧૦ ના સીસી વિમેતિ - પ્રતિમાધારી સાધુ કાયોત્સર્ગાદિમાં રહેલા હોય અને તે વખતે ફેલાઈ રહેલી આગ તેમને સ્પર્શે ત્યારે મહાસત્વશાળી હોવાથી અગ્નિથી દૂર જવાનો પ્રયત્ન ન જ કરે, કર્મના સામર્થ્યથી આગ પ્રમુખ આપત્તિ આવી જાય તો પણ ભયભીત ન બને. ૨૮/૨૭ વીરાસનમ્ - ગુરુ ભગવંતો નીચે પ્રમાણે વજસંઘયણ આસન કહે છે ભૂમિ ઉપર પગ રાખીને સિંહાસને બેઠેલાની સિંહાસન લઈ લેતા ચલાયમાન થયા વિના જેવી સ્થિતિ થાય તેવી સ્થિતિ એ વીરાસન છે. ઉત્તમ સંઘયણબળયુક્ત સાધક અવિચલ અવસ્થામાં ધર્મ-શુક્લધ્યાનથી પોતે ભાવિત થતા હોય છે. લોકમાં ભોજનાદિ કાર્યોમાં વીરાસન પ્રસિદ્ધ છે. ૨૮/રૂરૂ મતિસૂક્ષ્મતું પણ રોષ - પ્રતિમાકલ્પ સ્વીકારનાર સાધુ વૈયાવચ્ચે કરતા નથી. આથી ગચ્છમાં રહેલા બાળ વૃદ્ધ, ગ્લાનાદિને વૈયાવચ્ચનો અંતરાય થાય. વૈયાવચ્ચ કરવાની ભાવના હોવા છતાં કાયિક પ્રવૃત્તિરૂપે વૈયાવચ્ચ કરતા નથી. જોકે ગુરુ, બાલ-વૃદ્ધાદિની વૈયાવચ્ચનું કાર્ય તો ગચ્છમાં રહેલ અનેક મુનિઓ પોતાની શક્તિ અનુસાર કરતા જ હોય છે. આથી પ્રતિમાકલ્પનો સાધુ સ્વીકાર કરે તો પણ વૈયાવચ્ચનું કાર્ય અટકતું નથી તેથી અતિસૂક્ષ્મ દોષ પણ લાગતો નથી. માટે પ્રતિમાકલ્પનો સ્વીકાર કરવો એ શુભ આલંબન છે. ૨૮/૩૬ મAિmોપિ - જે સ્વલબ્ધિથી યુક્ત ન હોય પણ લબ્ધિવાળા આચાર્યની નિશ્રામાં હોય તો અવશ્ય દીક્ષા આપે. આ વચન દ્વારા આગમમાં પરોપકાર વિષયની મહાનતા દર્શાવી છે. વિશિષ્ટ ગુણ સંપન્ન સાધકને દીક્ષા પ્રદાન કરવી એ ખરેખર અત્યધિકગુણકારી કાર્ય છે, માત્ર પોતાના હિત માટે પ્રતિમાનું પાલન અનુષ્ઠાન નહિ. કારણકે સર્વ સ્થાનોમાં પરોપકાર પ્રવૃત્તિની મહાનતા હોવાથી આગમસૂત્રોમાં પણ પરોપકારપ્રધાન પ્રવર્તન જોવા મળે છે.
SR No.022282
Book TitlePanchashak Prakaranam
Original Sutra AuthorN/A
AuthorDharmratnavijay
PublisherManav Kalyan Sansthanam
Publication Year2014
Total Pages362
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy