SearchBrowseAboutContactDonate
Page Preview
Page 318
Loading...
Download File
Download File
Page Text
________________ અન્ય ગ્રન્થોમાં બતાવેલ ગુરુગુણછત્રીસીઓ ૧૧૦૯ ૧. સૂત્ર આવડે અર્થ નહીં ૨. અર્થ આવડે પણ સૂત્ર નહીં. ૩. સૂત્ર અર્થ બંને આવડે, ૪. સૂત્ર-અર્થ બંને ન આવડે. આમાં ત્રીજો ભાંગો ગ્રહણ કરવો. તેથી સૂત્ર, અર્થ અને તદુભયની વિધિને જે જાણે, તે સૂત્રાર્થતદુભયવિધિજ્ઞ કહેવાય છે. ૨૬-૨૭. આહરણ એટલે દૃષ્ટાંત. હેતુ કારક અને જ્ઞાપક-એમ બે પ્રકારે છે. જેમકે ઘટનો કર્તા કુંભાર તે કારકહેતુ છે અને અંધારામાંથી ઘડાને પ્રકાશમાં લાવનાર દીવો જ્ઞાપક હેતુ છે. ઉપનય એટલે ઉપસંહાર. દષ્ટાંતથી જોયેલ જાણેલ પદાર્થને ચાલુ વિષયમાં જોડવો તે ઉપનય. રા' એ પ્રમાણે પાઠ હોય તો કારણ એટલે નિમિત્ત સમજવું. નય એટલે નૈગમ વગેરે. આહરણ, હેતુ, ઉપનય, કારણ અને નય વગેરેમાં નિપુણ હોય. તે જેવો શ્રોતા હોય, તે પ્રમાણે ક્યારેક દૃષ્ટાંત, ક્યારેક હેતુ વગેરેનું પ્રતિપાદન કરી તત્ત્વનો સ્વીકાર કરાવે છે. ૨૮. ઉપસંહારનિપુણ હોય, તે સારી રીતે અધિકૃત અર્થનો ઉપસંહાર કરી શકે છે. ૨૯. નયનિપુણ હોય, તે સારી રીતે અધિકૃત નયના કથન વખતે સારી રીતે વિસ્તારથી વિભાગપૂર્વક નયોને કહી શકે છે. ૩૦. પ્રતિપાદનની શક્તિ યુક્ત તે ગ્રાહણાકુશલ. ૩૧-૩૨. સ્વશાસ-પરશાસ્ત્રને જાણે છે. તે બીજા વડે આક્ષેપ કરાયેલ સ્વપક્ષ-પરપક્ષના આક્ષેપોને દૂર કરે. ૩૩. અતુચ્છસ્વભાવ એટલે ગંભીર. ૩૪. દીપ્તિમાન :- પરવાદીથી પરાભવ ન પામે તેવા. ૩૫. શિવ એટલે ગુસ્સા વગરના અથવા તેજસ્વી. જ્યાં વિચરે ત્યાં કલ્યાણને કરનારા. ૩૬. સોમ એટલે શાંત દષ્ટિવાળા-આ પ્રમાણે છત્રીસ ગુણોવાળા ગુરુ જાણવા. ઉપલક્ષણથી આચાર્ય ચંદ્રના કિરણોનાં સમૂહ જેવા મનોહર ઔદાર્ય-શૈર્ય આદિ બીજા ગુણોથી યુક્ત એટલે શોભતા અને પ્રવચનના ઉપદેશક હોય છે. તેથી કહ્યું છે કે મૂળગુણઉત્તરગુણરૂપ સેંકડો ગુણોથી યુક્ત ગુરુ, સારી રીતે દ્વાદશાંગી રૂપ પ્રવચનના સારને કહી શકે છે. જે મૂળગુણ વગેરે ગુણો યુક્ત છે તેના વચન ઘીથી સિંચાયેલ અગ્નિની જેમ શોભે છે. ગુણહીનના વચનો તેલ વગરના દીવાની જેમ શોભતા નથી. (૫૪૯)' (સટીક પ્રવચનસારોદ્ધારના મુનિશ્રી અમિતયશવિજયજી મ. કૃત ભાવાનુવાદમાંથી સાભાર) સમ્યકત્વપ્રકરણમાં અને તેની વૃત્તિમાં ગુરુના છત્રીસ ગુણો આ પ્રમાણે કહ્યા છે - ગાથાર્થ - વતષટ્કાદિ અઢાર, આઠ પ્રકારના આચાર અને દસ પ્રકારના પ્રાયશ્ચિત્ત આ
SR No.022277
Book TitleGurugun Shattrinshtshatrinshika Kulak Part 03
Original Sutra AuthorN/A
AuthorRatnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2014
Total Pages402
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy