SearchBrowseAboutContactDonate
Page Preview
Page 314
Loading...
Download File
Download File
Page Text
________________ २६५ योगसारः ३/१९ श्रामण्यं योगाभ्यासश्च साम्यहेतवे रिक्तीभवति । ततः समता प्रादुर्भवति। परन्तु केचन मुनिजनाश्चारित्रपालनेनाऽपि स्वात्मानमुत्तमसंयमित्वेन प्रख्यापयितुमिच्छन्ति । ते चारित्रक्रिया एव तत्त्वरूपेण पश्यन्ति । ततस्ते तत्पालनाय भृशं यतन्ते । चारित्रक्रियास्तु साधनरूपाः । ताभिः समता साध्या । परन्तु मुनिजनाः साध्यं विस्मृत्य साधनमेव साध्यत्वेन मत्वा तदर्थं प्रयतन्ते । ततस्ते साम्यमार्गाद्दूरे भवन्ति । शासनप्रभावना-जनप्रतिबोध-श्रुतोद्धार-चैत्योद्धार-महोत्सवादिमिषेण ते बाह्यभावेष्वेव रज्यन्ति । इदमपि सर्वं साधनरूपम् । साध्या त्वेकैव समता । तां ते विस्मरन्ति । चारित्रक्रियाशासनप्रभावनादीनि न मोक्तव्यानि। परन्तु तानि कुर्वतैव समतासिद्ध्यर्थं यतनीयम्। योगस्याऽभ्यासोऽपि साम्यस्य लाभार्थमेव भवति । योगाभ्यासेनाऽऽत्मा बाह्यभावेभ्यो विरज्य स्वस्वरूपस्य समीपस्थो भवति । यथा यथा योगोऽभ्यस्यते तथा तथाऽऽत्मस्वरूपस्याऽऽविर्भावो भवति । ततश्च साम्यं दीप्यते । परन्तु केचन मुनिजना योगाभ्यासेनाऽपि स्वस्य योगित्वेन प्रसिद्धिं वाञ्छन्ति । ते योगाभ्यासमेव साध्यं मन्यन्ते । ततस्ते योगाभ्यासेन આત્મામાં રહેલ કર્મોનો સમૂહ ખાલી થાય છે, તેથી સમતા પ્રગટે છે. પણ કેટલાક મુનિજનો ચારિત્ર પાળીને પણ પોતાને ઉત્તમ સંયમી તરીકે ઓળખાવવા ઇચ્છે છે. તેઓ ચારિત્રની ક્રિયાઓને જ તત્ત્વરૂપે જુવે છે. તેથી તેઓ તેના પાલન માટે બહુ પ્રયત્ન કરે છે. ચારિત્રની ક્રિયાઓ તો સાધનરૂપ છે. તેમનાથી સમતા સાધવાની છે. પણ મુનિજનો સાધ્યને ભૂલીને સાધનને જ સાધ્ય માની તેની માટે પ્રયત્ન કરે છે. તેથી તેઓ સમતાના માર્ગથી દૂર થાય છે. શાસનપ્રભાવના કરવી, લોકોને પ્રતિબોધ કરવા, શ્રુતનો ઉદ્ધાર કરવો, ચૈત્યોનો ઉદ્ધાર કરવો, મહોત્સવો કરવા વગેરે બહાનાઓથી તેઓ બાહ્ય ભાવોમાં જ રમે છે. આ બધું પણ સાધનરૂપ છે. સાધ્ય તો એક માત્ર સમતા જ છે. તેને તેઓ ભૂલી જાય છે. ચારિત્રની ક્રિયાઓ, શાસનપ્રભાવના વગેરે છોડવા નહીં. પણ તે કરતાં કરતાં જ સમતાની સિદ્ધિ માટે યત્ન કરવો. યોગનો અભ્યાસ પણ સમતાના લાભ માટે જ છે. યોગ એટલે મોક્ષસાધક ક્રિયાઓ. યોગના અભ્યાસથી આત્મા બાહ્ય ભાવોથી વિરક્ત થઈ પોતાના સ્વરૂપની નજીકમાં રહેનારો થાય છે. જેમ જેમ યોગનો અભ્યાસ થાય છે તેમ તેમ આત્મસ્વરૂપ પ્રગટ થાય છે અને તેનાથી સમતા પ્રગટે છે. પણ કેટલાક મુનિજનો યોગના અભ્યાસ વડે પણ પોતાને યોગી તરીકે પ્રસિદ્ધ કરવા ઇચ્છે છે. તેઓ યોગના
SR No.022255
Book TitleYogsar Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2014
Total Pages350
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy