SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ [તત્વતરં નાના બચ્ચાને પૂછે, તે તે પણ કહી આપશે કે- પાછલી ચૌદશનું પડિકકમણું કર્યા પછી પુનમથી તેરસ સુધીના દિવસે ગણતાં ચૌદ જ દિવસે થાય છે. અને અષાઢ સુદ પુનમથી ભાદરવા સુદ ત્રીજ સુધીની તિથિઓ ગણતાં એગણપચાસ દિવસે જ થાય છે. આ રીતે તેરસ અથવા ત્રીજને ક્ષય માનવામાં તમારે તિથિ ઉપરાંત પંદર-પચાસ દિવસના સિદ્ધાંતને પણ બાધ આવે છે. વળી સ વછરી પડિક્કમણું કર્યા પછી સીત્તેર દિવસે જ કાર્તિકી ચોમાસી પડિક્કમણું કરવું જોઈએ. ત્રીજને ક્ષય કરવાના મતથી આ સિદ્ધાંતને પણ ધરાર ભંગ થાય છે, કેમકે–તમે ત્રીજે ઓગણપચાસ દિવસ પૂરાતાં સંવછરી પડિક્કમણું કર્યું. તે પછી કાર્તિકી માસી પડિકામણું કર્યાના દિવસે થથીજ ગણાશે, કેમકેઉદયમાં તે બરાબર બેઠી છે, તેને ઉલ્લંઘી શકાશે નહિ. ચેથથી કાર્તક સુદ ચૌદશ સુધીના તિથિદિવસે ગણે, કેતેર જ થશે, પરંતુ સીત્તેર તે નહિ જ થાય. બાપનું વચન નહિ માનનારે હઠીલે છેકરે જેમ ઘરને અને બહારને બે તરફને માર ખાય છે, તેમ શાસ્ત્રકારનું સદ્ધચન નહિ માનવાથી તમારે તે બેય તરફથી લુંટાવાનું થયું. અમે તે ઉદયતિથિ જે ચોથ છે તેને અંગીકાર કરતા રહેવાથી, તિથિઓ ગણતાં પચાસ અને સીત્તેર દિવસે અમારે બરાબર મળી જ રહે છે. વાસ્તે “પાંચમના ક્ષયે ત્રીજને ક્ષય કરી ત્રીજે ચેથ અને ચેાથે પાંચમ” પણ અંગીકાર કરી શકાય નહિ જ. પુનઃ એજ મહાશય કહે છે કે આ દિવસે શું વારના હિસાબે ન ગણાય? હું તે એમ માનું છું કે-તે વારના
SR No.022246
Book TitleParv Tithi Prakash
Original Sutra AuthorN/A
AuthorJambuvijay Gani
PublisherShah Khubchand Panachand
Publication Year1937
Total Pages272
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy