SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ ૬ આજીવિકોની માન્યતાઓમાંથી બહુ થોડી જ આ કાર્નાિશિકામાં સમાવેશ પામી છે, અને એ સાહિત્યમાં જેનો ઉલ્લેખ નથી તેવી કેટલીક વસ્તુઓ પણ બત્રીસીમાં છે. અનુમાન પ્રમાણ વિષયક ઉલ્લેખ પ્રાચીન સાહિત્યમાં નથી, એવી રીતે વ્યાજ, વિભંગ, સંકર જેવા મુદ્દા પણ નથી. દિવાકરજીએ આજીવિકોના કોઈ એક સંસ્કૃત ગ્રંથનો આ બત્રીસીમાં સારસંક્ષેપ કર્યો છે એવું તારણ આપણે નિઃશંકપણે કાઢી શકીએ. ન્યાયદર્શનની પદ્ધતિએ વિશ્વ વ્યવસ્થાની વિચારણા કરતાં આજીવિકોએ અનુમાન પ્રમાણને તો માન્ય કરવું જ પડે. પોતાના સિદ્ધાંતોની સ્થાપના કરવા માટે તેમણે વ્યવસ્થિત તર્ક પ્રણાલી ઊભી કરી હતી તે તો આ કાર્નાિશિકામાં સુંદર રીતે પ્રતિબિંબિત થાય છે. પ્રસ્તુત શ્લોક આજીવિકોના મતે અનુમાન પ્રમાણની વ્યાખ્યા આપે છે. એક વસ્તુ હોય ત્યાં બીજી હોય જ એવા અન્વયની ખાતરી થતાં જે મનોવૃત્તિ ઉત્પન્ન થાય તે અનુમાન છે. અનુમાનમાં હેતુ મુખ્ય ભાગ ભજવે છે તેથી તેની પણ વ્યાખ્યા આપી છે – હેતુ વ્યભિચારી હોવો જોઈએ.” પાઠચર્ચા: 'ત્રાત્યવિવૃત્તાન્તા'-આ શબ્દ અનિર્ણાત રહે છે. જો આ સામાસિક શબ્દ “હેત'ના વિશેષણ રૂપે હોય તો તે પ્રથમાન્ત હોવો જોઈએ. એમ હોવાની શક્યતા વિશેષ છે. પડિમાત્રા લિપિમાં વૃત્તાન્તા' એમ લખાય. લિપિકારોના હાથે માત્રાનું ચિહ્ન ઊડી ગયું હોય એવી સંભાવના પૂરી છે. संज्ञासामान्य पर्याय-शब्दद्रव्यगुणक्रियाः। તેનોવતા (?) પૃથતિ વ્યવહારવિનિશ્ચય રૂશ વિવરણ: શ્લોકનું તાત્પર્ય બરાબર સ્પષ્ટ થતું નથી. “સંજ્ઞા વગેરે બાબતો અહીં નથી કહેવાઈ તેનો નિર્ણય વ્યવહારથી કરવો' એવો આશય જણાય. બીજી રીતે –“સંજ્ઞા વગેરે બાબતો તેન’–‘આ કારણે જાદી કહેવાઈ છે, જેનાથી વ્યવહારનો નિર્ણય થઈ શકશે” એવો ભાવાર્થ નીકળે. પરંતુ, આ બાબતો અહીં જાદી કહેવાઈ નથી, તેથી પહેલો વિકલ્પ વધુ બંધબેસતો - થાય.
SR No.022240
Book TitleNiyati Dwatrinshika
Original Sutra AuthorN/A
AuthorBhuvanchandra Muni
PublisherJain Sahitya Academy
Publication Year2002
Total Pages50
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy