SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ समानाभिजनेष्वेव गुरुगौरवमानिनः । स्वभावमधिगच्छन्ति न ह्यग्निः सममिध्यते ॥ २६ ॥ अन्वयः [ये] समानाभिजनेषु एवं गुरुगौरवमानिनः, [ते] स्वभावं अधिगच्छन्ति। अग्निः समं नहि इध्यते । અર્થ : જેઓ સમાન ઉચ્ચ કુળમાં ઉચ્ચ ગૌરવ (−હોવાનું–) માને છે તેઓ સ્વભાવને (–સ્વભાવની મુખ્યતાને–) સ્વીકારે છે. ખરેખર, અગ્નિ એકસરખો બળતો નથી. વિવરણ : આ શ્લોક ‘સ્વભાવ’ની મહત્તાનું સમર્થન કરે છે કે પછી જિન-બુદ્ધના જન્મ વિષયક આજીવિક મતની કોઈ માન્યતાનું નિરૂપણ કરે છે – એ સ્પષ્ટ થતું નથી. ઉચ્ચકુળમાં જ જેઓ ગૌરવ માને છે તેઓ સ્વભાવવાદનો જ આડકતરો સ્વીકાર કરે છે. એ વિધાનના ટેકામાં એક અર્થાન્તરન્યાસ અહીં આપ્યો છે : ‘સાચેજ, અગ્નિ એકસરખો પ્રજળતો હોતો નથી’. ઘાસ, ફોતરાં, છાણાં, લાકડા વગેરેનો અગ્નિ એકસરખા જોરથી બળતો નથી. સારું ઇંધણ હોય તો અગ્નિ વધારે આકરો સળગે. એમ ઉચ્ચ કુળમાં જ ઉચ્ચ આત્માઓ જન્મે છે, તેમને ગૌરવ મળે છે. આ વાત માન્ય કરનાર આપોઆપ સ્વભાવની પ્રમુખતા સ્વીકારે છે. પાઠચર્ચા – મિથ્યતિ – જૈ., વી., મ., મુ. - प्रवृत्त्यन्तरिका व्याज-विभङ्गस्वप्नसम्भवात् । न जात्यः संस्मृतेरुक्तं सङ्करोऽन्तरिकान्तजाः ||२७|| : પાઠચર્ચા ઃ પાઠમાં અશુદ્ધિઓ છે. ઉપરાંત આજીવિકોની જે માન્યતાની ચર્ચા આમાં છે તેનો સંદર્ભ લુપ્ત હોવાથી શ્લોકનો ભાવ પણ સમજાતો નથી. 'નાત્યઃ સંસ્કૃતેઃ'ના સ્થાને 'નાતેઃ સંસ્કૃતેઃ' અથવા 'નાત્યસંસ્કૃતેઃ' પાઠ હોય એવી કલ્પના આવે. પ્રસ્તુત શ્લોક પૂર્વજન્મની સ્મૃતિ-વિસ્મૃતિની ચર્ચાનો હોય એવી પણ કલ્પના કરી શકાય.
SR No.022240
Book TitleNiyati Dwatrinshika
Original Sutra AuthorN/A
AuthorBhuvanchandra Muni
PublisherJain Sahitya Academy
Publication Year2002
Total Pages50
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy