SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭ સાચું પડે, કયારેક ખોટું પડે એવી સ્થિતિ હોય તો અમે હાર્યા; પરંતુ તો પછી આપનું શું થશે? વિવરણ : આત્મવાકય પ્રમાણના સંદર્ભમાં પુરુષાર્થવાદની ચર્ચા આ શ્લોકમાં થઈ છે. આપ્તપુરુષોએ કહ્યું છે માટે પુરુષાર્થવાદ સાચો છે એવું માનનારની સામે નિયતિવાદી કહે છે : આપ્તપુરુષ એવા જિન જો સર્વજ્ઞ હોય તો તારો મોક્ષ કયારે થશે, સુખ-દુઃખ કયારે આવશે વગેરે બધું જ તેઓ જાણતા હશે. સર્વજ્ઞનું જ્ઞાન જો અફર હોય–સર્વજ્ઞે જે જાણ્યું તેમાં ફેર પડવાનો જ ન હોય તો મોક્ષ માટે કે સુખ પ્રાપ્તિ-દુઃખ નાશ માટે જરા પણ શ્રમ લેવાની જરૂર નથી. ગમે તેટલો શ્રમ લે તો પણ સર્વજ્ઞે જોયેલા સમય પહેલાં તારો મોક્ષ નહિ થાય અને સમય ઉપર મોક્ષ થયા વિના રહેશે પણ નહિ. તારે પુરુષાર્થ કરવાની જરૂર રહેતી જ નથી. પુરુષાર્થ ક૨વાથી મોક્ષ વગેરે સર્વજ્ઞે જોયેલા સમય કરતાં વહેલાં પણ થઈ શકતા હોય તો પુરુષાર્થવાદ સાચો ઠરે, અમે હાર્યા કહેવાઈએ. પરંતુ તેનો અર્થ એ પણ થયો કે જિનનું જ્ઞાન ખોટું પણ પડે છે! આસપુરુષો ખોટા પણ પડતા હોય તો તેમનું વચન પ્રમાણ કેવી રીતે બની શકે? એ પુરુષ આમ પણ ન કહેવાય. આમ વાકયને પ્રમાણ માનવાની તારી વાત ઊડી જાય છે. एकेन्द्रियाणामव्यक्ते-रजात्यन्तरसंगतौ । व्यक्तानां च तदादौ का रागादिप्रविभक्तयः ? ।।१७।। अन्वयः एकेन्द्रियाणां अव्यक्तेः अजात्यन्तरसंगती [ सत्यां], व्यक्तानां च तदादी [નાત્યન્તરાવી સતિ] જા રામાપ્રિનિમાયઃ ? 1:3 અર્થ : એકેન્દ્રિય વગેરે જીવોનો બોધ અવ્યક્ત હોવાના કારણે તેમાં જાત્યન્તર (=રૂપાંતર) થવાનું માની ન શકાતું હોય અને વ્યક્ત જ્ઞાનવાળા (–પંચેન્દ્રિય વગેરે જીવો−) ના બોધમાં તે (=જાત્યન્તર) સંભવતું હોય તો તે ઉપરથી રાગ, દ્વેષ વગેરે વિભાજનો કલ્પવાની શી જરૂર?
SR No.022240
Book TitleNiyati Dwatrinshika
Original Sutra AuthorN/A
AuthorBhuvanchandra Muni
PublisherJain Sahitya Academy
Publication Year2002
Total Pages50
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy