SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ . દ્વારા તેમનું જે પ્રત્યક્ષીકરણ થાય છે તેમાં કોઈનું કર્તૃત્વ શા માટે આવશ્યક માનવું જોઈએ? એક તરફ વિષય એટલે કે જ્ઞેય પદાર્થ છે, બીજી તરફ તેનો ઈન્દ્રિયાનુભવ છે – બંને વિના પ્રયત્ન થાય છે એમ શા માટે ન માનવું? આ નિયતિવાદીનો સવાલ છે. આત્મવાદીઓ જગતના સમસ્ત પદાર્થોને જ્ઞેય માને છે. આનો ફલિતાર્થ એ થયો કે જ્ઞાન, શેય પદાર્થોની બરાબર છે – જેટલા જ્ઞેય છે એટલું જ્ઞાન છે. નિયતિવાદી એમ કહેવા માગે છે કે સમસ્ત જ્ઞેય પદાર્થોનું પરિણમન વિના પ્રયત્ન થાય છે – જે તમે પણ માનો છો – તેમ સમસ્ત જ્ઞાનનું પરિણમન પણ વિના પ્રયત્ન થાય છે એમ માની લો – બોધને અકર્તૃક માની લો. પાઠચર્ચા : તે તુલ્યે – વી., જૈ., મુ. તે તુલ્યો – મ. અહીં પુલિંગનો 'તૌ તુલ્યાં' એવો પાઠ, અર્થ તથા વ્યાકરણની દૃષ્ટિએ વધુ સ્વીકાર્ય લાગે છે. नोक्तेन (?) सह नोत्पादात् सममध्यक्षसंपदि । विनाशानुपपत्तेश्च भोज्य-भक्ष्यविकल्पतः ॥८॥ અન્વય : ૧ ૩તેન (?) સહ, ન ઉત્સાવાત્ સમ અધ્યક્ષસંપત્તિ [સત્યાં], મોન્ગ-મક્ષ્ય विकल्पतः च विनाशानुपपत्तेः [ज्ञानं ज्ञेयनिमित्तकं न]। અર્થ : જ્ઞેય પદાર્થના નામોચ્ચારની સાથે .અથવા તેની ઉત્પત્તિની સાથે (–તે પદાર્થનું–) જ્ઞાન થતું નથી, તથા ભોગ્ય અને ભક્ષ્ય એવા બે વિકલ્પમાંથી એકેય રૂપે જ્ઞાનનો વિનાશ સિદ્ધ થતો નથી તેથી (જ્ઞાન જ્ઞેયના કારણે ઉત્પન્ન થતું નથી એમ સિદ્ધ થાય છે). વિવરણ : સાતમા શ્લોકમાંની ચર્ચા અહીં આગળ ચાલે છે. નિયતિવાદી શેય પદાર્થો અને તેમના બોધને – જ્ઞાનને તુલ્ય ગણતો નથી, જ્ઞેયના કારણે જ્ઞાન થાય છે એમ પણ માનતો નથી. એના મતે, શેય અને જ્ઞાનની વચ્ચે કોઈ પણ પ્રકારનો સંબંધ નથી, કેમકે –
SR No.022240
Book TitleNiyati Dwatrinshika
Original Sutra AuthorN/A
AuthorBhuvanchandra Muni
PublisherJain Sahitya Academy
Publication Year2002
Total Pages50
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy