SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ ૪ તો આત્મા જ છે એવું કદાચ આત્મવાદી કહે તેની સામે આ પ્રશ્ન છે ઃ જે આત્મા શરીર–ઈન્દ્રિય આદિનું પોતાની ઈચ્છા મુજબ નિર્માણ કરવા માટે શકિતમાન નથી તે ઈન્દ્રિયો દ્વારા થનારા અનુભવોનો કર્તા છે એવું તમે શી રીતે કહી શકો? દિવાકરજીએ નિયતિવાદના તર્ક સંક્ષેપમાં પણ બળવાન સ્વરૂપે મૂકયા છે. સામા પક્ષની વાતને પોતાના શબ્દોમાં મૂકતી વેળાએ તેની પ્રસ્તુતિને નબળી પાડવાની લાલચથી તેઓ દૂર રહ્યા છે. આખી બત્રીશીમાં દિવાકરજીએ નિયતિવાદી દર્શનના સિદ્ધાંતો અને તેના સમર્થનમાં તેમણે પ્રયોજેલા તર્કો સંક્ષિપ્ત રૂપે સંકલિત કર્યા છે. આ વિધાનો તેમના નથી, આજીવિક સંપ્રદાયના છે. આ સંપ્રદાયના તાર્કિક શૈલીએ રચાયેલા સંસ્કૃત ગ્રંથો દિવાકરજીની સામે હતા, તેમાંથી સારસંક્ષેપ તેમણે કર્યો છે, એવું અનુમાન કરી શકાય. આ બત્રીશીમાં આજીવિકોના નિયતિવાદના સમર્થનમાં કે નિરસનમાં કંઈ જ કહેવામાં નથી આવ્યુંએવી સ્પષ્ટતા તેમણે અંતિમ શ્લોકમાં કરી પણ છે. धर्माधर्मौ तदान्योन्य-निरोधातिशयक्रियौ । દેશાઇપેક્ષાં ચ તયોઃ થં ઃ સમ્ભવઃ? ।।૪।। अन्वयः धर्माधर्मौ अन्योन्यनिरोधातिशयक्रिया देशाद्यपेक्षौ च तदा तयोः कः તૃસમ્ભવઃ? થમ્? । અર્થ : (પ્રારબ્ધવાદીના મતે) ધર્મ અને અધર્મ અર્થાત્ પાપ અને પુણ્ય પરસ્પર નષ્ટ કરવાની અથવા તો એકબીજા પરં સરસાઈ મેળવવાની ચેષ્ટાવાળા છે, વળી એ બંને (–પોતાને અનુકૂળ−) દેશ અને કાળ વગેરેની અપેક્ષા રાખનારા છે. ત્યારે તેમના કોઈ કર્તાનો સંભવ હોઈ શકે ખરો? હોય તો તે કઈ રીતે હોય ? વિવરણ : આત્મા શરીરાદિનો કર્તા ભલે નથી, પરંતુ ધર્મધર્મરૂપ પ્રારબ્ધનો તો કર્તા છે જ– એવી આત્મવાદીની દલીલનો અહીં જવાબ અપાયો છે. ધર્મ અને અધર્મ અર્થાત્ પુણ્ય અને પાપ પરસ્પર વિરોધી છે. પુણ્ય, પાપનો નાશ
SR No.022240
Book TitleNiyati Dwatrinshika
Original Sutra AuthorN/A
AuthorBhuvanchandra Muni
PublisherJain Sahitya Academy
Publication Year2002
Total Pages50
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy