________________
तिलमित्तं विसयसुहं, दुहं च गिरिरायसिंगतुंगयरं । भवकोडीहिं न निहइ, जं जाणसु तं करिज्जासु ॥६।।
અથ:-ઈન્દ્રિયેના વિષયનું સુખ તે એક તલ માત્ર છે, અને બદલામાં દુઃખ મેરૂ પર્વતના શિખર જેટલું ઊંચું છે, (અર્થાત્ તલમાત્ર વિષયસુખ ભેગવવાને પરિણામે દુઃખને લાખ જેજન જેવડો માટે ડુંગર ભેગવવાને છે,) કે જે કરોડ ભવ સુધી ભેગવવા છતાં ખૂટે તેમ નથી (એમ લાભ હાનિને વિચાર કરીને) જે તને સારું દેખાય તે કર ! અર્થાત્ હે બુદ્ધિમાન આત્મા! વિચાર કરીને વિષ્યમાં આસક્ત ન થા ! (૬) भुजंता महुरा विवागविरसा किंपागतुल्ला इमे, कच्छुकंडुअणं व दुक्खजणया दाविति बुद्धि सुहे । मज्झण्हे मयतिण्हि अव्व सययं मिच्छाभिसंधिप्पया; भुत्ता दिति कुजम्मजोणिगहण भोगा महावेरिणो ॥७॥
અર્થ:-કિપાકના ફળની જેમ ભેગવતાં મધુર અને પરિણામે દુઃખદાયી એવા વિષયે-ભોગો, “કપિકચ્છ (કુચ) નામની વનસ્પતિ જેમ ખણજ પેદા કરે, તેમ વિષયતૃષ્ણાનું અતીવ દુઃખ પેદા કરનારા હોવા છતાં જીવને “આ વિષય ભેગવવાથી મને સુખ થશે” એવી બુદ્ધિ (ભ્રમ) પેદા કરે છે, વળી મધ્યાહને મૃગલાં રણમાં સૂર્યનાં કિરણથી રેતીને બદલે મિથ્યા પાણી (ઝાંઝવાનાં નીર) દેખે, તેમ ભોગે ભગવ્યા પહેલાં આ ભોગવવાથી ભેગતૃષ્ણાનું દુઃખ મટશે” એ ખોટે ખ્યાલ આપે છે અને એ રીતે