SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૦ શ્રી ઉપદેશ સાગર. પાંચ ધાવે કરી વૃદ્ધિ પામવા લાગે, સાતમે વર્ષે તેને કળા આચાર્યને સેંપવામાં આવ્યું. થોડા વખતમાં ગુરુની કૃપા અને પિતાના ઉદ્યમને લઈ તે કુંવર બહોતેર કળામાં પ્રવિણ થશે. ધનુષ્ય વિદ્યા એ ક્ષત્રિયને ધર્મ છે, તેમાં તે ખાસ નિપુણ થયે. આવા કળાકુશળ કુંવરને માતાપિતાએ કુળવાન કુળની પાંચસો કન્યા પરણાવી. ચાવન વય પ્રાપ્ત થતાં જીતશત્રુ રાજા કાળધર્મને પામ્યા, એટલે સંજતિ ગાદીએ બેઠો. તેના મિત્રે તે રાજાને દરેક રીતે ખુશી શખતા અને જરા પણ દૂર ખસતા નહિ. એક વખત ત્રાએ કહ્યું કે, મહારાજા ! આપ ધનુષ્ય વિદ્યામાં બહુજ કુશળ છે, તે તે વિદ્યા અને પરાક્રમની ખુબી નગરજને, અંતે: ઉર અને આપની સેના વગેરે કયારે જેવા ભાગ્યશાળી થશે? આથી રાજાનું મન પણ સર્વને પોતાનું પરાક્રમ બતાવવા આતુર થઈ ગયું. એક દિવસ સંધ્યા સમયે એક હરણનું ટેળું પિતાના ઉદ્યાનમાં વચ્ચોવચ આવી બેઠેલું જોઈ વનપાલક તુરતજ રાજા પાસે આવી કહેવા લાગ્યું કે, હે મહારાજા ! આજે આપણું ઉદ્યાનમાં સે હરણનું કેળું આવી બેઠું છે, અને આપ જે શીકાર કરવાની હોંશ ધરાવે છે, તે આજે પૂર્ણ થાય તેમ છે, પછી જેવી આપની મરજી ! રાજા આ શબ્દો સાંભળી ઘણે જ ખુશી થયે, પિતે કુબતને લઈ હરહંમેશ માંસ ભક્ષણ કરી, તેમાંજ મુચ્છિત થઇ પડયે રહેતે અને તેમાં વળી આ ખબર આવવાથી પોતાનું પરાક્રમ બતાવવાનો વખત આવ્યે જાણ વધારે ખુશી થયે, અને તેથી વનપાલકને કહ્યું કે, જે, તું હમણાં જ ત્યાં જઈ હરણ આઘાપાછા ન થાય તેને બંબસ્ત કરી રાખ, હું દિવસ ઉતા ત્યાં આવી પહોંચીશ. રાત્રિએ મારે કેને કેને મારું પરાક્રમ બતાવવું એવી વિચારરૂપી માળા તૈયાર કરી પ્રભાત થતાં જ સેનાધિપતિને બેલાવી હુકમ કર્યો કે, ચાર પ્રકારની સેના તૈયાર કરાવે, અને અંતઃપુરમાં પણ ખબર આપે કે, રાજા પહેલ વહેલા આજે
SR No.022230
Book TitleUpdesh Sagar
Original Sutra AuthorN/A
AuthorMahavir Vidyalay
PublisherMahavir Vidyalay
Publication Year1921
Total Pages250
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy