SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ મૂળ શુદ્ધિ ભાવાનુવાદ ૫૧ કહ્યું કે આ મારા એક બાણથી સાધ્ય છે. ત્યારે શ્રીમતીએ ક્ષમા રાખવાનું કહ્યું અને ગુરુવચન યાદ કરાવ્યું. હે સ્વામિનાથ ! એમાં કોઈ સંદેહ નથી. પણ એમ કરતાં મુનિવચન છૂટી જશે, “કારણ મુનિ મહાત્માઓનો આદેશ છે કે તે દિવસે જો કોઈ શરીરનો નાશ કરે તો પણ તેની ઉપર ક્ષમા કરવી. (તેની ઉપર ક્ષમા રાખવી) તો પરલોકમાં બંધુસમાન, ગુણોથી શોભાયમાન, એવાં ગુરુ વચનને યાદ કરતાં આપણે તે વચનથી વિપરીત આચરાણ કેમ કરીને કરીએ ?' હવે ધનુષને એકબાજુ મુકી શિખરસેને શ્રીમતીને કહ્યું કે સુતનુ ! તારી વાત સાચી છે, ગુરુ આદેશ અન્યથા કેમ કરાય, પરંતુ તારા મોહથી મુગ્ધ બનેલ હૃદયવાળા મેં આમ કર્યું, હવે આવા અકાર્યથી સર્યુ, ગુરુવચનમાં આદર કરીએ, તેથી આદર કરી બેસી ગયા. એ અરસામાં સિંહનાદથી નભાંગણને ભરતો ભૂમિ ઉપર પંજો પડાવી તે સિંહ તેમની પાસે આવ્યો. ત્યારે તે બન્ને ચિંતવવા લાગ્યા કે આ પશુરાજા ગુરુ ઉપદેશનું બરાબર પાલન કરો છો કે નહિ તેની પરીક્ષા કરવા માટે કસોટી ના પત્થર સમાન હોવાથી અમારો ઉપકારી છે. એવી શુભ વિચારધારામાં મગ્ન બનેલ કોધ વગરનાં તે બન્નેને તીક્ષ્ણ નખોથી સિંહે વિદારી નાંખ્યા. બન્ને જણાએ કાયર માણસોને કંપારી છુટાડે આવા અતિભયંકર ઉપસર્ગને સહન કયોં. અને શુભભાવનાથી કાળ કરી સૌધર્મ દેવલોકમાં ઋદ્ધિમંત પલ્યોપમ આયુવાળા દેવ થયા. તે બન્ને ઈચ્છા મુજબ ભોગોને ભોગવી આયુ ક્ષીણ થતા ત્યાંથી આવી જંબુદ્વીપના પશ્ચિમ મહાવિદેહ માં ચકપુર નામે નગર છે. જે ઉંચાગઢ અને ધોળા ઘરોથી દેવનગર જેવું લાગે છે. તેનું સૂર્યની જેમ શ્રેષ્ઠ પુરુષના હજાર નેત્રોરૂપી કિરણવાળો, સદાવૃદ્ધિ પામતા વિષયસુખવાળો, કુમૃગાંક નામે રાજા છે. તેને બાલચના નામે પટરાણી છે. તેની કક્ષમાં શિખરસેન ઉપન્યો. શ્રીમતી પણ સુભૂષણ રાજાની રાણી કુરુપતિ ની કુમિમાં ઉપજી. કુમારનું સમરમૃગાંક અને કુંવરીનું અશોકદેવી નામ પાડ્યું. અનુક્રમે સર્વકલા ગ્રહણ કરીને હોંશિઆર થયેલા તે બન્ને કામદેવના ભવન સમાન યૌવન પ્રાપ્ત થતાં સુભૂષણ રાજાએ સમરમૃગાંકને પોતાની દીકરી આપી અને શુભમુહુર્ત બન્ને ના લગ્ન થયા. ઈચ્છામુજબ વિષયસુખ ભોગવતાં, હર્ષપૂર્ણ અંગવાળા અરસપરસ વધતા અનુરાગવાળા તે બેઓનો કાળ વીતે છે. એક દિવસ રાણી સાથે વિલાસ કરતા કુરુકૃગાંક રાજા ઝરોખામાં બેઠા હતા. ત્યારે રાજાના વાળ સંવારતી રાણીએ માથામાં ચંદ્રસરખી કાંતિવાળા વાળને દેખી બોલી હે દેવ!
SR No.022222
Book TitleMulshuddhi Bhavanuvad
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri, Devchandrasuri, Ratnajyotvijay
PublisherRanjanvijayji Jain Pustakalay
Publication Year1995
Total Pages306
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy