SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૧ મૂળ શુદ્ધિ ભાવાનુવાદ દેવી વિદ્યાધર મનુષ્યો અને તિર્યચોથી ખીચોખીચ ભરેલાં ! विमाणमाला-कुलपब्वएसुं, वक्खार-नंदीसर-मंदरेसुं । अट्ठावए सासय-ऽसासयाई, जिणालयाई व महालयाई ॥३५॥ દેવલોકનાં વિમાન, વર્ષધર પર્વત, વક્ષસ્કાર, નંદીશ્વર દ્વીપ, મેરુપર્વત, અષ્ટાપદ પર્વત, ઉપલક્ષણથી શત્રુંજય વિ. ઉપર રહેલાં શાશ્વતાં-અશાશ્વતાં ચૈત્યો જેવાં; આવા પ્રકારના મહાન તથા શોભાદાયક મંદિરો બનાવવા. તે કયા સ્થાનોમાં બનાવવાં તે નીચેની ગાથાથી જણાવે છે. उत्तुंगसिंगेसु महागिरीसु, पुरेसु गामा-ऽऽगर-पट्टणेसु । पए पए सब्वमहीयलम्मि, गिही विहाणेण विहावएज्जा ॥३६॥ ગગનચુંબી ગિરનાર જેવાં પર્વતના શિખરો ઉપર તેમજ અવન્તી વગેરે પુર, શાળિગ્રામ વગેરે ગ્રામ-શાકંભરી વિ. આકર સ્થાનમાં, પત્તનમાં, ઘણું શું કહીયે, ડગલેને પગલે વિધિપૂર્વક મંદિરો બનાવી ગૃહસ્થ ભૂમિને મંડિત કરવી જોઈએ. ગૃહસ્થ જ આ કરવાનું છે. પંચાશક ગ્રન્થમાં જિનભવનના વિધિમાં કહ્યું છે કે... સુખીસ્વજનવાળો, કુલવાન, પૈસાદાર, અતુચ્છ- હલકા નહિં પણ ઉમદા વિચારવાળો, બુદ્ધિશાળી, બલવાન, મતિમાન, ધર્મરાગી, ગુરુપૂજા કરવામાં રુચિ ધરાવનાર, શુશ્રુષાસાંભળવાની ઈચ્છાવિ. ગુણોથી યુક્ત, જિનાલય કરાવવાની વિધિને જાણનારો, આજ્ઞાપ્રધાન અને ગૃહસ્થ જિનભવન નિર્માણમાં અધિકારી છે. અયોગ્ય - અનધિકારી વડે કરાતું જિનભવન દોષ માટે થાય છે. હરિભદ્રસૂરિ પંચાશકમાં દર્શાવે છે કે -અધિકારીએજ આ કરવું જોઈએ. આજ્ઞાભંગાદિ દોષનું વર્જન કરવું જોઈએ, ધર્મ આજ્ઞાની સાથેજ રહેલો છે. આજ્ઞાની આરાધનાથી પુણ્ય અને વિરાધનાથી પાપ થાય છે. આ ધર્મ રહસ્ય બુદ્ધિશાળીએ જાણવું જોઈએ. વિધિથી કરાતું અનુષ્ઠાન જ ફળદાયક બને છે. કહ્યું છે કે... વિધિથી કરાતું સર્વ ધર્માનુષ્ઠાન ફળ આપનારું બને માટે તેમાં જ યત્ન કરવો જોઈએ ! કેવી સંપત્તિથી કેવા ચિત્તથી કેવા આદરભાવથી તેમજ કોનો દાખલો લઈ જિનભવનો કરાવવા, હવે તે જણાવે છે...
SR No.022222
Book TitleMulshuddhi Bhavanuvad
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri, Devchandrasuri, Ratnajyotvijay
PublisherRanjanvijayji Jain Pustakalay
Publication Year1995
Total Pages306
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy