________________
rrrrrrrr
-
-
-
-
;
-
HF શ્રીવિજિત F F श्री विचारसप्ततिका प्रकरण (મૂળ તથા ભાષાંતર યુક્ત )
૦િ૦૦ C
=
=
વિશ્વની સ્થિતિનો વિચાર કરનાર શ્રી સર્વજ્ઞ જિનેશ્વરને નમસ્કાર કરીને હું આ વિચારસરૂતિકા (સીરી) નામના ગ્રંથને કાંઈક સક્ષેપથી અર્થ કહું છું.
આ સર્વજ્ઞપ્રણીત પ્રવચન( આગમ)ને વિષે અનેક વિચારો રહેલા છે, પરંતુ અહીં (આ ગ્રંથમાં ) અચલગચ્છના શુંગારના હારરૂપ શ્રી મહેન્દ્રસિંહ નામના સૂરીશ્વરે બાર વિચારોને સંગ્રહ કર્યો છે–તે બારેના નામ માટે પ્રથમ દ્વાર ગાથા કહે છે –
पडिमा मिच्छा कोडी, चेईअ पासीय रविकरप्पसरो। पजत्ति किन्ह वलया, नंदी गिहिकिरिअ गुणठाणा ॥१॥
અર્થ:(હિના) પ્રતિમા એટલે શાશ્વતી પ્રતિમાઓની સંખ્યાનો વિચાર ૧, (મિઝા) મિચ્છા–ઈર્યાપથિકીના મિથ્યાદુકૃતની સંખ્યાનો વિચાર ૨, (કોલી) કેટિ–કેટિશિલાના સ્વરૂપને વિચાર ૩, (૨૫) ચૈત્ય-શાશ્વતા સિદ્ધાયતનેની સંખ્યાને વિચાર ૪, (પરા) પ્રાસાદ-દેવાના વિમાનોના આકારનો વિચાર ૫, ( વિજcum) છ દિશાઓમાં સૂર્યના કિરણે કેટલા પ્રસરે છે તેને વિચાર ૬, (Tષત્તિ) પર્યાપ્તિ-દારિક, વૈક્રિય અને આહારક એ ત્રણે શરીરને આશ્રીને છ પર્યાપ્તિઓને વિચાર ૭, (વિન્દ) કૃષ્ણ–પાંચમા સ્વર્ગમાં રહેલી કૃષ્ણરાજીનો વિચાર ૮, (વયા) વલય-વલયાકારે રહેલા માનુષેત્તર, કુંડળ અને રુચક નામના ત્રણ પર્વતને વિચાર ૯, (નવી) નંદી–નંદીશ્વર નામના આઠમા દ્વીપના વિચાર ૧૦, ( જિજિાિ ) હિક્રિયા-શ્રાવકની ધમક્રિયાની વક્તવ્યતા સંબંધી વિચાર ૧૧, (જુરા) તથા ગુણસ્થાન–દે ગુણસ્થાનકોનો વિચાર. ૧૨. (૧)
આ બાર દ્વાનો વિચાર આ વિચારસતિકા નામના ગ્રંથમાં કર્યો છે. તેમાં પહેલું પ્રતિમા દ્વાર કહે છેઃ