________________
શ્રી નિગોદષટત્રિશિકા પ્રકરણ.
૨૧૯ વિવેચનકાકાકાશના એટલે ચાદ રાજલકના પ્રદેશ અસંખ્યાતા છે અને તેટલા જ પ્રદેશે એક જીવના પણ છે, એટલે કે તે બનેના પ્રદેશની સંખ્યા સરખી છે પણ ન્યૂનાધિક નથી; કારણ કે કેવળીસમૃદ્દઘાતમાં કેવળી પોતાના પ્રદેશવડે સમસ્ત લોકાકાશને પૂરે છે. તે જ જીવ જ્યારે અત્યંત સ કેચને પામે છે ત્યારે તેની અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલી થાય છે. એવી અવગાહનાવાળું જે શરીર તે નિગોદ છે. તેમ જ એક ગેળાની અવગાહના પણ તેટલી જ છે, કારણ કે સરખી અવગાહનાવાળી અસંખ્યાતી નિગદનો જે સમૂહ તે ગળે છે; માટે એ ત્રણેની અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ છે. તે ૧૩ છે હવે નિગોદ વિગેરેની સમ અવગાહનાનું સમર્થન કરે છે –
जमि जिओ तमेव निगोओ तो तंमि चेव गोलोऽवि । निप्फज्जइ जं खित्ते, तो ते तुल्लावगाहणया ॥ १४ ॥ | અર્થ –(કવિ)જે ક્ષેત્રમાં (કમિનિ) જ્યાં જીવ છે (તવિ નિજો) ત્યાં જ નિગોદ છે (તો તંfમ રેવ) અને તે જ ક્ષેત્રમાં (જો ) ગળો પણ (નિઝર) નીપજે છે; (તો) તેથી કરીને (તે સુવાદાણા) તે ત્રણે સરખો અવગાહનાવાળા છે.
વિવેચન-જે ક્ષેત્રમાં એક નિગોદ રહેલી છે, તેની અવગાહના અંગુલના અસંખ્યાતમાં ભાગરૂપ જાણવી, એટલે કે અસંખ્યાતા આકાશપ્રદેશરૂપ અંગુલને અસંખ્યાત ભાગ જાણુ. તે નિગાદમાં રહેલ દરેક જીવની અવગાહના પણ તેટલી જ છે, કારણ કે તે નિર્ગદરૂપ તેનું શરીર છે. તેમ જ ગેળાની અવગાહના પણ તેટલી જ છે, કારણ કે તે વિવક્ષિત નિગદની અવગાહના સરખી એકાવગાહનાવાળી બીજી અસંખ્યાતી નિગોદ જે ત્યાં જ રહેલી છે તેનો બને છે. હવે તે ગોળ જેટલા પ્રદેશમાં રહ્યો છે, તેની એક પ્રદેશની શ્રેણિને છોડતી અને બીજી બાજુએ વ્યાપતી છએ દિશામાં બીજી અસંખ્યાતી નિગોદે છે, તેને જેટલો ભાગ વિવક્ષિત ગળામાં આવે છે તે વિવક્ષિત ગોળામાં ગણવો અને બાકી રહેલ અવગાહના ભાગ બીજા ગોળામાં ગણવો. આમ હોવાથી છવ, નિગોદ અને ગોળાની અવગાહના સરખી જાણવી ૧૪ છે
આ ગાથામાં પ્રશ્નરૂપે એ ત્રણ અભિધેય કહે છે –
उक्कोसपयपएसे, किमेगजीवप्पएसरासिस्स । .. हुजेगनिगोयस्स व, गोलस्स व किं समोगाडं ? ॥ १५॥