________________
શ્રી:વિચારસપ્તતિકા પ્રકરણ
૧૦૩
હવે દેવ અને નારકીને આશ્રીને કહે છે – छन्हऽवि सममारंभे, पढमा समएऽवि अंतमोहुत्ती । ति तुरिअ समए समए, सुरेसु पण छ8 इगसमए ॥४६॥
અર્થ:-(ગુરુ) દેવ અને ઉપલક્ષણથી નારકીને વિષે () છએ પર્યાપ્તિઓનો (રમમાંt) સમકાળે પ્રારંભ થાય છે, તેમાંથી (દા) પહેલી એજાહારરૂપ પર્યાપ્તિ () એક સમયે પરિપૂર્ણ થાય છે. બીજી શરીર પર્યાપ્તિ ત્યારપછી (અંતમોટુ) અંતમુહૂતે પૂર્ણ થાય છે, (તિ) ત્રીજી અને (સુમિ) ચોથી પર્યાપ્ત ત્યારપછી પૃથક્ પૃથક્ (રમg મg) એક એક સમયે પૂર્ણ થાય છે. તથા (પા છ૪) પાંચમી વચનપર્યાપ્તિ અને છઠ્ઠી મન:પર્યાપ્તિ એ બન્ને ત્યારપછી (ફુવારમv) એક જ સમયે પૂર્ણ થાય છે, કારણ કે તેને તેવો સ્વભાવ જ છે. દેવ અને નારકીને ઉત્તરક્રિયામાં પણ એ જ પ્રમાણે પયોપ્તિઓ પૂર્ણ થાય છે. ૪૬.
(તિ પર્યાસિદ્ધાર કસમ | ૭ ) હવે કૃષ્ણરાજીના સ્વરૂપનું આઠમું દ્વાર કહે છે. बंभे रिठे तइअंमि, पत्थडे अट्ठ कण्हराईओ। इंदय चउसु दिसासुं, अख्खाडगसंठिआ दिग्घे ॥४७॥
અર્થ –(જં) બ્રહ્મલોક નામના પાંચમા દેવલેકમાં રહેલા (દ્દેિ તir) ત્રીજા રિટ્ટ નામના (પ ) પાથડામાં ( અટ્ટ પાર્ક) આઠ કૃષ્ણરાજીઓ છે. તે સચિત અને અચિત્ત પૃથ્વીના પરિણામરૂપ ભીંતને આકારે છે. તેનો આકાર કેવો છે ? તે કહે છે–રિષ્ટ નામના ત્રીજા પ્રસ્તરમાં રહેલા ( સ્ત્ર) ઈન્દ્રક વિમાનની (વડકુ વિરાણું) ચારે દિશાઓમાં બબે કૃષ્ણરાજી છે તે આ પ્રમાણે-પૂર્વ દિશામાં દક્ષિણ ઉત્તર લાંબી અને તીછી પહોળી બે કૃષ્ણરાજીઓ છે. એ જ પ્રમાણે દક્ષિણ દિશામાં પૂર્વ પશ્ચિમ લાંબી અને તિછી પહોળી બે કૃષ્ણરાજીઓ છે. પશ્ચિમ દિશામાં દક્ષિણ ઉત્તર લાંબી અને તિછી પહોળી બે કૃષ્ણરાજી છે, તથા ઉત્તર દિશામાં પૂર્વ પશ્ચિમ લાંબી અને તિછી પહોળી બે કૃષ્ણરાજીઓ છે. તે સર્વ મળીને આઠ છે. તે કૃષ્ણરાજી કેવી છે ? તે કહે છે. (અહલ્લા સંદિરા રિ) આખાટકના સંસ્થાન જેવી લાંબી છે. આખાટક એટલે પ્રેક્ષણને સ્થળે (અખાડાની ભૂમિમાં) ચારે તરફ બેસવાના આસન હોય છે તે આકારે રહેલી છે. પ્રશાખની ટીકામાં પણ એ પ્રમાણે કહેલું છે. ૪૭. હવે લંબાઈનું પ્રમાણ કહે છે –