SearchBrowseAboutContactDonate
Page Preview
Page 394
Loading...
Download File
Download File
Page Text
________________ સરખે પોપટ ભયંકરમાં ભયંકર અને જોઈ ન શકાય એવા સાક્ષાત રાવણ સરખા વિધાધર રાજાને જોઈને શીધ્ર બીક પામે. ઠીક જ છે, તેવા ક્રૂર સ્વરૂપ આગળ કોણ સામે ઉભો રહે? કોણ. પુરૂષ દાવાગ્નિની બળતી જવાળાને પીવા ઇચ્છે? હશે, બીક પામેલે પોપટ શ્રીરામ સરખા રત્નસાર કુમારને શરણે ગયે. તે ભય આવે બીજે કે શરણ જવા યોગ છે ? પછી વિધાધર રાજાએ આ રીતે હોંકારો કરી બોલાવ્યો. “અરે કુમાર ! છેટે ચાલ્યો જા, નહિં તે હમણાં નાશ પામીશ. અરે દષ્ટ ! નિર્લજ્જ ! અમર્યાદ ! નિરંકુશ ! તું મહારા જીવિતનું સર્વસ્વ એવી હંસીને ખોળામાં લઈને બેઠે છે? અરે ! તને બિલકુલ કેઈની બીક કે શંકા નથી ? જેથી તું મહારા આગળ હજી ઉમે છે. તે મૂર્ણ! હમેશાં દુ:ખી જીવની માફક તું તુરતજ મરણને શરણ થઈશ.” આ પ્રમાણે વિધાધરને રાજ તિરસ્કાર વચન બોલી રહ્યા, ત્યારે પિોપટ શંકાથી, મયુરપક્ષી કૌતુકથી, કમળ સમાન નેત્ર ધારણ કરનારી તિલકમંજરી ત્રાસથી અને હંસી સંશયથી કુમારના મુખ તરફ નીહાળતી હતી. એટલામાં કુમારે કિચિત હાસ્ય કરીને કહ્યું. “અરે! તું વગર પ્રજને કેમ બ્લીવરાવે છે? એ બહી કરાવવું કોઈ બાળક આગળ ચાલશે, પણ વીર આગળ નહીં ચાલે. બીજા પક્ષીઓ તાળી વગાડવાથી ડરે છે, પરંતુ પડછ વાગે તો પણ ધીટાઇ રાખનારે મઠમાંને પિતપક્ષી બિલકુલ નહીં બીહે. એ શરણે આવેલી હંસીને કલ્પાંત થાય તે પણ હું નહીં મુકી દેવું. એમ છતાં સાપના માથામાં રહેલા મણિની પેઠે તું એની ઈચ્છા કરે છે, માટે તને ધિક્કાર થાઓ. અરે ! એની આશા છેડીને તું શીધ્રા અહિંથી દૂર થા. નહીં તે હું હારા દશ મસ્તકથી દસ દિકપાળને બળી આપીશ.” એટલામાં રત માર કુમારને પોતે સહાધ્ય કરવાની ઇચ્છા કરનારા ચં. યૂડ દેવતાએ મયૂરપક્ષીનું રૂપ મૂકી શિધ્ર પોતાનું દેવતાઈ રૂપ લીધું, અને હાથમાં જાત જાતનાં આયુધ ધારણ કરીને જાણે કુમારે બેલાજ હાયની ! તેમ કુમારની પાસે આવ્યા. પૂર્વભવે કરેલા પુણ્યોની બલિહારી છે ! પછી ચંદ્રચૂડે કુમારને કહ્યું કે, “હે કુમાર ! તું હારી ૩પ૮
SR No.022209
Book TitleShraddh Vidhi
Original Sutra AuthorN/A
AuthorJain Patra
PublisherJain Patra
Publication Year1904
Total Pages548
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy