SearchBrowseAboutContactDonate
Page Preview
Page 317
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ ન્યાયથી મેળવેલું ધન પણ પાત્ર દાન એ બેને યોગ થવાથી બો જે ભાગે થાય છે. એ પાપાનુબધિ પુણ્યનું કારણ હેવાથી એથી કોઈ કઈ ભવમાં વિષયસુખનો દેખીતે લાભ થાય છે. તે પણ અંતે તેનું પરિણામ કડવું જ નિપજે છે. અહિં લાખ બ્રાહ્મણને ભોજન આપનાર બ્રાહ્મણનું દૃષ્ટાંત છે, જે નીચે પ્રમાણે છે – એક બ્રાહ્મણે લાખ બ્રાહ્મણોને ભોજન આપ્યું. તેથી તે કેટલાક બજેમાં વિષયભોગ આદિ સુખ ભોગવી મરીને સર્વે સુંદર અને સુલક્ષણ અવયવને ધારણ કરનારે સેચનક નામે ભદ્ર જાતિને હાથી થયું. તેણે લાખ બ્રાહ્મણોને જમાડ્યા, ત્યારે બ્રાહ્મણોને જમતાં ઉગરેલું અન્ન ભેગું કરી સુપાત્રદાન આપનારે બીજો એક દરિદ્રી બ્રાહ્મણ હતો. તે સુપાત્રદાનના પ્રભાવથી સૌધર્મ દેવલોક જઈ ત્યાંથા એવી પાંચસો રાજ્યકન્યાઓને પરણનાર નદિષેણ નામે એક પુત્ર થશે. તેને જોઈ સેચનકને જાતિ સ્મરણ જ્ઞાન થયું. તે પણ અંતે તે પહેલે નરકે ગયે. ૩ અન્યાયથી ઉપાર્જેલું ધન અને સુપાત્ર દાન એ મને મળવાથી ત્રી ને ભાંગે થાય છે. સારા ક્ષેત્રમાં હલકું બીજ વાવવાથી જેમ અંકુર માત્ર ઉગે છે, પણ ધાન્ય નિપજતું નથી, તેમ એથી પરિણામે સુખનો સંબંધ થાય છે તેથી રાજાઓ, વ્યાપારિો અને ઘણા આરંભથી ધન મેળવનાર લોકોને તે માનવા લાયક થાય છે. કેમકે--એ લક્ષ્મી ક્કાશયષ્ટિની પેઠે સાર વિનાની અને રસ વિનાની છતાં પણ ધન્યપુરૂષએ તેને સાત ક્ષેત્રોમાં લાવીને શેલડી સમાન કરી, ગાયને ખોળ આપતાં તેનું પરિણામ દૂધ જેવું થાય છે, અને દૂધ સર્પને આપતાં તેનું ઝેર ના રૂપમાં આવે છે. સુપાત્રે તથા કુપાત્રે વસ્તુનો ઉપયોગ કરવાથી એવાં ભિન્ન ભિન્ન પરિણામ નિપજે છે, માટે સુપાત્રદાન કરવું એજ ઉત્તમ છે. સ્વાતિ નક્ષત્રનું જળ સપના મુખમાં પડે તે ઝેર અને છીપના સંપુઢમાં પડે તે મોતી થાય છે. જુઓ, તેજ સ્વાતિ નક્ષત્ર અને તેજ જળ પણ પાત્રના ફેરફારથી પરિણામમાં કેટલે ફેર પડે છે? આ વિષય ઉપર આબૂ પર્વત ઉપર જિનમંદિર કરાવનાર વિમળમંત્રી વગેરેનાં દૃષ્ટાંત લેક્ટ્રસિદ્ધ *એક જાતના ઘાંસની સાડી. ૨૮૨
SR No.022209
Book TitleShraddh Vidhi
Original Sutra AuthorN/A
AuthorJain Patra
PublisherJain Patra
Publication Year1904
Total Pages548
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy