________________
અધ્યાત્મતત્ત્વાલક,
[ ચોથુંઅનન્તાનુબંધી” એટલે અનન્તદુ:ખવાળી ગતિ સાથે જોડી દેનાર અથવા અનન્ત ભામાં ભમાવનાર. અપ્રત્યાખ્યાનાવરણ' એટલે અલ્પ પ્રત્યાખ્યાનને ( દેશવિરતિને ) પણ અટકાવનાર. “ પ્રત્યાખ્યાનાવરણ” એટલે ચારિત્રને પ્રતિબધ કરનાર. “સંજવલન” એટલે વીતરાગચારિત્રને ( સર્વોત્તમ ચારિત્રને ) કનાર. આ ઉપરથી સમજી શકાય છે કે-અનનાનુબધી કષાય સમ્યગ્દર્શનને, અપ્રત્યાખ્યાનાવરણકક્ષાય દેશવિરતિને ( શ્રાવકધર્મને ), પ્રત્યાખ્યાનાવરણકપાય મુનિધર્મને અને સંજ્વલનકષાય વીતરાગસંયમને અટકાવનાર છે.
આ ચતુર્વિધ કપાયોની સ્થિતિ બતાવતાં જૈનશાસ્ત્રકાર કહે છે કેઅનતાનુબંધી કષાય લાવજછવ રહેનારે છે, અપ્રત્યાખ્યાનાવરણકષાયની એક વર્ષની સ્થિતિ છે, પ્રત્યાખ્યાનાવરણકપાય ચતુર્માસની અવધિવાળો છે અને સંજ્વલનકષાયની પંદર દિવસની મુદત છે. આ ચાર કષાયથી થતી ફલપ્રાપ્તિના સંબંધમાં આમ જણાવવામાં આવ્યું છે કે–અનન્તાનુબધી કષાય નરકગતિને, અપ્રત્યાખ્યાનાવરણકપાય તિર્યંચગતિને, પ્રત્યાખ્યાના વરણ કપાય મનુષ્યગતિને અને સંજ્વલન કષાય દેવગતિને આપનાર છે.
પરંતુ આ બંને બાબતે વ્યવહારનયથી અથવા સાધારણ દષ્ટિએ કહેવામાં આવી છે. કારણ કે પ્રસન્નચંદ્ર રાજર્ષિ જેવા ઋષિઓને અનન્તાનુબન્ધી કષાય ક્યાં વાવેજછવ રહ્યો હતો ? બાહુબલિ મુનિને સંજવલન કષાય, જે પખવાડીયા સુધી રહેવું જોઈએ, તે કેટલા મહીનાઓ સુધી રહ્યો હતે ? એવી રીતે નરકાદિગતિની પ્રાપ્તિના સંબંધમાં પણ સમજવું જોઈએ કે અનન્તાનુબન્ધીકષાયવાળા મિથ્યાદષ્ટિઓમાંના કેટલાકેની
--
--
$ अनन्तानि जन्मान्यनुबध्नन्ति, इति-अनन्तानुबन्धिनः कषायाः। अप्रચાહમાન- પ્રવાહયાનમાર ( “મ”રય (નગ: ) ભરપાર્થવાત ) - ध्वन्तीति-अप्रत्याख्यानावरणाः कषायाः। प्रत्याख्यानं मुनिचारित्रमावृण्वन्तीति-प्रत्याख्यानावरणाः कषायाः । तृणाग्निवद् ईषज्ज्वलनात्-वीतरागचारित्रनिरोधनात् संज्व. ના થાય...
* ૧ અપ્રત્યાખ્યાનાવરણ શબ્દમાં અપ્રત્યાખ્યાનના “અ” ને અર્થઅલ્પ કરવાનું છે. એટલે અલ્પ પ્રત્યાખ્યાનને પણ-ડાક પ્રત્યાખ્યાનને (દેશવિરતિને) પણ અટકાવનાર