SearchBrowseAboutContactDonate
Page Preview
Page 608
Loading...
Download File
Download File
Page Text
________________ * અધ્યાત્મતત્ત્વાલક, [ બીજુંજેમ અતિદીપ્ત અને પ્રતિનિર્મલ બનાવી શકાય છે, પરંતુ વિચારવું જોઈએ કે એથી આત્મોન્નતિ પ્રાપ્ત થઈ ગઈ ખરી કે ? ત્યારે આ ઉપરથી એ સમજવું દુષ્કર નથી કે આત્મોન્નતિને સંબન્ધ શરીરની શુદ્ધિ સાથે રહ્યો નથી. શરીર અને આત્મા જ્યારે નિતાન્ત ભિન્ન પદાર્થો છે, તે શરીરની શુદ્ધિ યા અશુદ્ધિ સાથે આત્માની શુદ્ધિ-અશુદ્ધિને લાગે વળગે શું? બેશક, આપણુ જેવાઓને વાતાવરણની અસર જલદી ઉત્પન્ન થાય છે; અને અએવ બાહ્ય શુદ્ધિની અગત્ય બરાબર સમજી શકાય છે. પરંતુ બાઘને બાહ્યજ શુદ્ધિમાં રહી આભ્યન્તર શુદ્ધિના પ્રયત્નોથી વેગળા રહેવું, એ તે “યેગી” નામ ધરાવનારાઓને માટે અક્ષમ્ય ભૂલ ગણી શકાય છે. શરીરના કાઠાઓને શુદ્ધ કરવા માટે કરાતો હોગ મનઃશુદ્ધિ વે મને રોધને માટે કામ લાગી શકે તેમ નથી. મનશદ્ધિને માટે તે હઠયોગ સિવાયને ખાસ જુદો પ્રયત્ન કરવાનો રહે છે. જો કે તથાવિધ પ્રાણાયામની ક્રિયા ધ્યાન માટે ઉપયોગી કહેવામાં આવી છે, પરંતુ તે ઉપયોગિતા, ફક્ત મનની ચંચળતાને પોષનાર તથા વિધ વાતાવરણને રોકવા પૂરતી છે, એ સિવાય ધ્યાન યા સમાધિ સાધવાની મુખ્ય સામગ્રી તેનાથી પૂરી પડી શકતી નથી, ખેર, પરંતુ પ્રાણાયામથી ઉપર બતાવેલ પૂરતે પણ લાભ લેવાય, તે એ સારૂં, કિન્તુ ઘણે ભાગે પદ્ગલિક સંપત્તિની વ્યામોહમાં પડી જઈ પ્રાણાયામને દુરૂપયોગ કરવામાં આવે છે. હઠાગની ક્રિયાઓને સાનુકૂળ રીતસર આચરવા છતાં પણ મૂળ નિશાન રાજગ તરફ જ રાખવું જોઈએ. રાજગને શબ્દાર્થ એ થાય છે કે-“પાન (સપિયાન) રૂતિ પાકા (મામા) તસ્ય ચોળે રાક: ” અર્થાત “રાજા” એટલે સચ્ચિદાનન્દ વડે રાજતે-દીપ એવો આત્મા, અને તેને યોગ અર્થાત તવિષયક ધ્યાન, બીજા શબદમાં આત્મસાક્ષાત્કારાભિમુખ વ્યાપાર, એ રાજયોગ છે. એજ વસ્તુત: યોગ છે. એને માટે ચિત્તની સ્થિરતાને અંગે ઓસનો જય કરવાની બહુ અગત્ય છે. જ્યાં સુધી શરીરની વૃત્તિઓ ચંચળ રહે, ત્યાં સુધી આસન સિદ્ધ થઈ શકતું નથી. જો કે શરીર સર્વથા નિષ્ક્રિય થઈ શકતું નથી, છતાં તેટલી સ્થિરવૃત્તિ ઉપર તે શરીર આવવું જ જોઈએ કે જે સ્થિતિ આસનસિદ્ધિ માટે ઉપયોગી છે. શરીરના વ્યાપારે શિથિલ થવાથી આસનની સિદ્ધિ થાય છે અને આસનની સિદ્ધિ દઢતા ઉપર પહોંચવાથી શરીરની સ્થિરતા તે પ્રમાણમાં વધુ દઢ થાય છે. ઋષિ પતંજલિ પિતાના
SR No.022208
Book TitleAdhyatma Tattvalok
Original Sutra AuthorN/A
AuthorMotichand Jhaverchand Mehta
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year1920
Total Pages992
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy