________________
અધ્યાત્મતત્ત્વાલેક,
- ઉપર કહી ગયા તેમ, કર્મનાં તો સમજનારે નુકસાન કરનાર તરફ સેક્ટ ન થાય, તે અનુકૂળતા મેળવી આપનાર તરફ તેણે તુષ્ટ પણ ન થવું જોઈએ. એ સમાન ન્યાય છે; આપણને જ્યારે લાભ મળે છે, ત્યારે આપણા હૃદયમાં મેહરૂપ હર્ષ ઉછળવા માંડે છે, આ મેહમય હર્ષની સાથે-ધ્યાન આપે છે–પેલા ઉપકારને કશ સમ્બન્ધ હોતો નથી. તે આ હઈ કે આવી ખુશી કર્મના સિદ્ધાતો સમજનારના હૃદયમાં ઉભવે નહિ.
આવી મધ્યસ્થવૃત્તિ તરફ ધ્યાન ખેંચવાને માટે જ આ કલેકમાં એમ કહેવામાં આવ્યું કે-“સર્વ સંસારગ્રસ્ત જતુઓ જ્યારે કર્મબન્ધનેથી બદ્ધ છે, તે પછી કોણ કોને ઉપકત કરી શકે તેમ છે ? દેખીતું છે કે ખુદ પિતેજ બદ્ધ હોય, તે તે બીજાને બમ્પનથી છૂટ કરી શકે નહિ. ”
पूर्वोक्तामेव वार्ता स्फुटीकरोति
सर्वे च तृष्णानलतापतप्ताः शक्नोति कः कस्य शमार्पणाय ? सम्बन्धमप्यातनुमश्च केन ? न कापि सम्बन्धफलोपलम्भः ॥३२॥
-
( 32 )
All being heated by the fire of desires, none is capable of making others happy; there being no possibility of reciprocal relation, with whom can we bring out friendly association ? પૂર્વોકત વાતનું છુટીકરણ–
“સર્વ પ્રાણિઓ તૃષ્ણારૂપ અગ્નિના તાપથી બળી રહ્યા છે, તે પછી કેણ કેને શક્તિ આપવા સમર્થ થઈ શકે તેમ છે ?. વળી સંસારમાં કેની સાથે સમ્બન્ધ ( માયા-મમતારૂપ) કરે યોગ્ય છે, કેમકે સમ્બન્ધનું ફળ જે લેવું-દેવું, તે કયાંઈ પણ દેખાતું નથી. ”– ૩૨
106