SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ SPIRITUAL LIGHT. જે સંધ્યા, વન્દન, પૂજન વગેરે શરીરથી થતી ધાર્મીિક ક્રિયાઆને નિરૂપયોગી સમજી પાલન કરતા નથી, તેએએ તે ક્રિયાઓને નિરૂપયોગી નહિ બતાવતાં, તે ક્રિયા નહિ કરવાનું કારણ પોતાની સુસ્તી કે પોતાના પ્રમાદ બતાવવા જોઇએ. પેાતાને પ્રમાદ ઢાંકવાની ખાતર્ ધાર્મિક ક્રિયાને નિરૂપયોગી રાવવી, એ ગેરવ્યાજખી છે. જો અનાવ યથાર્થ રીતે ક્રિયામાને સાધતા ન હેાય, તે તેવા વતે ક્રિયાના માર્ગ બરાબર સમજાવી તે માર્ગોમાં સ્થિર કરવા જોઇએ, પરંતુ એને ક્રિયાની નિરૂપયોગિતા બતાવીને ક્રિયાથી ભ્રષ્ટ કરવા, એ તે વધારે પડતું ખરામ છે. જે બિચારાએ સંસારનાં કાર્યાંથી નિવૃત્ત થઈને ધાર્મિક ( ભલે અશુદ્ધજ ) ક્રિયામાં પ્રવર્તે છે અને એટલુ આલંબન રાખે છે, તેવાઓને એટલા આલંબનથી પણ પતિત કરવા, એ કાઈ રીતે ઇચ્છવાજોગ નથી, અશુદ્ધ ક્રિયામાં પણ વચન અને શરીર તા નિયમઅદ્ હાવાથી તેનાથી થતું પાપ ચોખ્ખી રીતે અટકી જાય છે; તા એટલા લાભથી પણ તેઓને વંચિત કરવા માટે જેઓને ઉપદેશ ક્રિયાને અનુપયેાગી ઠરાવવાને છે, તેઓએ ખરેખર પેાતાની એ ભ્રાન્તિથી સાવચેત થવું જોઇએ છે. અશુદ્ધ ક્રિયા જો ઇચ્છવા જોગ નથી, તે તે અશુદ્ધ ક્રિયાને શુદ્ધ રૂપમાં મૂકવાના ઉપદેશ ન કરતાં તેને મૂલથી ઉડાવી દેવી, એ પણ ઇવાજોગ નથી. જેમ સાંસારિક ખરાબ ક્રિયાએથી મન ઉપર ખરાબ અસર થાય છે, તેમ ધાર્મિક ક્રિયાએથી મન ઉપર સારી અસર-ગમે તેટલા પ્રમામાં–થવીજ જોઇએ, એ ન્યાયસિદ્ધ અને અનુભવસિદ્ધ હકીકત છે. પેાતાના આચારે પાળવા, પોતાનાં નિષ્કૃત્યો ન ચૂકવાં અને પોતાની ક્રિયાએ આદરવી, એ મનુષ્યત્વને અંગે ખાસ જ છે. આધ્યાત્મિક જીવન પ્રાપ્ત કરવા માટે આચારા અને અનુષ્ઠાનેા બહુ અગત્યનાં છે. વસિષ્ઠ સ્મૃતિના છઠ્ઠા અધ્યાયમાં ત્રીજા શ્લોકનું ચરણ છે કે—“ આવાહીન न पुनन्ति वेदाः અર્થાત્ આચારરહિતને વેદો પણ પવિત્ર કરી શકતા નથી, ખીજા શબ્દોમાં વેદેને જાણકારી પણ યદિ ક્રિયાહીન હાય, તા તે અપવિત્ર છે આ ઉપરથી જોઇ શકાય છે કે-ક્રિયામાની કેટલી આવશ્યકતા છે ?. ઉચ્ચ કેાટી ઉપર આવેલાને એઠાં એમાં શુભ ભાવનાઓ કરતાં–શુભ ભાવનાઓમાં આગળ વધતાં ઉચ્ચ (6 87 ""
SR No.022208
Book TitleAdhyatma Tattvalok
Original Sutra AuthorN/A
AuthorMotichand Jhaverchand Mehta
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year1920
Total Pages992
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy