________________
<
( ૧ )
आशीर्वचनम्
गुरुतत्त्वस्य माहात्म्यप्रदर्शिका एका सुन्दरा कृतिः श्रीचतुर्विधसङ्घसमक्षं समुपस्थिता । तन्नाम्नैव तद्गता गुणा ज्ञायन्ते एतद्ग्रन्थपरिशीलनेन सर्वेऽपि भव्यजना गुरुचरणसंलीनाः
स्युरित्येवाशास्महे वयम् ।
मच्छिष्यमुनिश्रीयशरत्नविजयेन मुनिश्रीसौम्याङ्गरत्नविजयसाहाय्येन अस्य ग्रन्थस्य विवेचनादिकं कृत्वा सुपरितोषो जनितः, मुनिश्रीभव्यसुन्दरविजयेनापि सूक्ष्मेक्षिकया संशोधनं कृत्वा आह्लादः समुत्पादितः।
सर्वेषामपि आशीर्वादो मे । एवमग्रेऽपि शुभपथि प्रवर्तन्तु इत्यभिलाषा ।
0000000000000
00000000000000
જૈનશાસનની તત્ત્વત્રયી અજોડ છે : દેવ, ગુરુ અને ધર્મ ! એમાં વચ્ચે રહેલ ગુરુતત્ત્વ દેવ અને ધર્મને ઓળખાવે છે...
‘ધર્મજ્ઞ: ધર્માં જ, સવા ધર્મપરાયળ: ।
પંવાશવૃત્તિ
सत्त्वेभ्यो धर्मशास्त्रार्थ- देशको गुरुरुच्यते ॥ ' ‘પ્રવચન અંજન જો સદ્ગુરુ કરે, દેખે પરમ નિધાન;
હૃદય નયન નિહાળે જગધણી, મહિમા મેરુસમાન..' - પૂ. આનંદઘનજી મ. સા. ‘ગુરુની આરાધના જેવું કોઈ અમૃત નથી...
ગુરુની વિરાધના જેવું બીજું કોઈ હલાહલ ઝેર નથી..' - ધર્માચાર્યબહુમાનકુલક..
આશરે ૪૦૦ વર્ષો પૂર્વે થઈ ગયેલા કો’ક મહર્ષિની ‘ગુરુતત્ત્વસિદ્ધિ’ નામની રચના ધર્મતત્ત્વના મૂળમાં રહેલા ‘ગુરુતત્ત્વ’ ઉપર શ્રદ્ધાના દીપકને પ્રજવલિત કરે છે. પડતા કાળમાં કોઈ એકાદ દોષને જોઈને ગુરુતત્ત્વ પ્રત્યે અભાવ લાવનાર જીવોને આમાં લાલબત્તી ધરવામાં આવી છે..
‘ન યાવિ મોવો ગુરુદ્દીતા' - ગુરુની હીલના કરનારનો મોક્ષ નથી..
શાસ્ત્રના પાને પાને ગુરુતત્ત્વનો મહિમા લખેલો છે, એ જ મહિમાને આ ગ્રંથ દ્વારા વ્યક્ત કરાયો છે. સાધકોને સહાયક બને તે આશયથી ગુજરાતી અનુવાદ સાથે આનું પ્રકાશન કરવામાં આવી રહ્યું છે. મુનિશ્રી યશરત્નવિજયજી મ. સા. એ આ ઉત્તમકાર્ય પૂરું પાડ્યું છે.
દરેક સાધક ગુરુમાં ‘ગૌતમસ્વામી’ના દર્શન કરતો થાય અને સાધ્વીજીમાં ‘ચંદનબાળા’ના દર્શન કરતો થાય તો એમનો આ પુરુષાર્થ સફળ થયો ગણાશે..
તત્ત્વત્રયી અને રત્નત્રયીના સાચા ઉપાસક બની ઘાતિ-અઘાતિકર્મોનો ક્ષય મોક્ષ પામો એ જ શુભેચ્છા..
આસો વદ ૮, તા. ૧૬-૧૦-૨૦૧૪ ગુરુપુષ્યામૃતયોગ, જૈન સોસાયટી, પાલડી
લિ. આચાર્ય વિજય ગુણરત્નસૂરિ
આચાર્ય વિજય રશ્મિરત્નસૂરિ