________________
(૧૪)
કૃતજ્ઞતા – અભિવ્યક્ત ક
દીક્ષાદાનેશ્વરી, ત્રિશતાધિક શ્રમણ-શ્રમણીગુરુમૈયા, પરમપૂજય આ. ભ. શ્રી વિ. ગુણરત્નસૂરીશ્વરજી મહારાજાએ કરેલ બેજોડ ઉપકાર... પ્રવચનપ્રભાવક પરમપૂજ્ય આ. ભ. શ્રી વિ. રત્નસુંદરસૂરીશ્વરજી મહારાજે સુંદર પ્રસ્તાવના લખી આપીને ગ્રંથની શોભામાં અભિવૃદ્ધિ કરી છે... પ્રવચનપ્રભાવક, પડ્રદર્શનનિષ્ણાત, પરમપૂજય આ. ભ. શ્રી વિ. રશ્મિરત્નસૂરીશ્વરજી મહારાજા દ્વારા થયેલ અનહદ અનુગ્રહ... કુશાગ્રમનીષિ, વિદ્ધકર્ય પરમપૂજય મુનિરાજ શ્રી ભવ્યસુંદરવિજયજી મ. સા.એ પ્રસ્તુત ગ્રંથનું સાદંત સંશોધન કરવા દ્વારા કરેલી નિઃસ્વાર્થ પરમકૃપા... વિદ્યાગુરુવર્ય પ.પૂ. મુનિરાજ શ્રી સૌમ્યાંગરત્નવિજયજી મ. સા. તથા પ. પૂ. મુનિરાજ શ્રી તીર્થરત્નવિજયજી મ. સા. (પિતાજી મ. સા.) ની અનન્ય સહાય... સહવર્તી તમામ આત્મીય મુનિવરોનો બેજોડ સહાયકભાવ... વાત્સલ્યનિધિ પ. પૂ. સા. શ્રી પુણ્યરેખાશ્રીજી મ. સા.ના સુશિષ્યા સા. શ્રી સૌમ્યરેખાશ્રીજી મ. સા.ના શિષ્યા સા. શ્રી નિરુપમરેખાશ્રીજી મ. સા. (બા મ. સા.) અને સા. શ્રી ધન્યરેખાશ્રીજી મ. સા. (બેન મ. સા.) આ બંને સાધ્વીજી ભગવંતોની સતત વહેતી શુભકામના...
આ તમામ ઉપકારીઓના ઉપકારનું હું કૃતજ્ઞભાવે સ્મરણ કરું છું. અને હરહંમેશ તેઓશ્રીની પરમકૃપાનું હું ભાજન બનતો રહું એવા આશીર્વાદને ઇચ્છું છું.
:
જ કૃપાકાંક્ષી 7 મુનિ યશરત્નવિજય