SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ ૪ 0 एतदेवाह - ધર્મપરીક્ષા ભાગ-૧ / ગાથા-૨ सो धम्मो जो जीवं धारेइ भवण्णवे निवडमाणं । तस्स परिक्खामूलं मज्झत्थत्तं चिय जित्तं ।।२।। स धर्मो यो जीवं धारयति भवार्णवे निपतन्तम् । तस्य परीक्षामूलं मध्यस्थत्वमेव जिनोक्तम् ।।२।। ‘સો થમ્મો'ત્તિ । भवार्णवे निपतन्तं जीवं क्षमादिगुणोपष्टम्भदानेन धारयति स धर्मो भगवत्प्रणीतः श्रुतचारित्रलक्षणः । तस्य परीक्षामूलं मध्यस्थत्वमेव जिनोक्तम्, अज्ञातविषये माध्यस्थ्यादेव हि गलितकुतर्कग्रहाणां धर्मवादेन तत्त्वोपलम्भप्रसिद्धेः । ननु सदसद्विषयं माध्यस्थ्यं प्रतिकूलमेव । तदुक्तं - सुनिश्चितं मत्सरिणो जनस्य न नाथ ! मुद्रामतिशेरते ते । माध्यस्थ्यमास्थाय परीक्षका ये मणौ च काचे च समानुबन्धाः ।। (अयोगव्य. द्वा. २७) इति कथं तद् भवद्भिः परीक्षाऽनुकूलमुच्यत ? इति चेत् ? सत्यं प्रतीयमानस्फुटातिशयशालि આ જ વાતને ગ્રન્થકાર જણાવે છે : (પરીક્ષાનું મૂળ માધ્યસ્થ્ય) ગાથાર્થ : ભવસમુદ્રમાં પડતા જીવને જે ધારી રાખે છે તે ધર્મ છે. મધ્યસ્થતાને જ તેની પરીક્ષાનું મુખ્ય કારણ શ્રીજિનેશ્વરોએ કહી છે. જ ભવસમુદ્રમાં પડતા જીવને જે ક્ષમાદિ ગુણ રૂપ ટેકો આપીને બચાવે છે તે ભગવત્પ્રણીત શ્રુતચારિત્ર સ્વરૂપ ધર્મ છે. શ્રી જિનેશ્વરોએ મધ્યસ્થત્વને જ તેની પરીક્ષાનું કારણ કહ્યું છે. અર્થાત્ પરીક્ષાના પરીક્ષક રૂપ મુખ્ય કારણ તે જ બને છે, જેનામાં માધ્યસ્થ્યરૂપ યોગ્યતા રહી હોય. માધ્યસ્થ્યથી જ જેઓના અજ્ઞાત વિષય અંગેના કૃતર્કો દૂર થઈ ગયા છે તેઓ જ જલ્પ અને વિતંડાથી ભિન્ન અને તત્ત્વજિજ્ઞાસુઓની ચર્ચાસ્વરૂપ એવા ધર્મવાદથી તત્ત્વને જાણી શકે છે. (જ્યાં સુધી કુતર્ક-કદાગ્રહ પકડાએલા હોય છે ત્યાં સુધી તત્ત્વની સિદ્ધિની ઇચ્છા કરતાં સ્વઅભ્યપગતસિદ્ધિની ઇચ્છાનું જ જો૨ વધુ હોવાથી ચર્ચા ધર્મવાદરૂપ બનતી નથી અને તેથી તત્ત્વ હાથમાં આવી શકતું નથી.) શંકા : સારી અને નરસી બંને ચીજ અંગે સમાનભાવ રાખવા રૂપ માધ્યસ્થ્ય તો પરીક્ષા માટે પ્રતિકૂલ જ છે. કેમકે ઊંચી ચીજને પણ નીચી ચીજ સમાન જ ગણવાનો આગ્રહ એ પણ એક જાતનો કદાગ્રહ જ હોઈ ઊંચી ચીજની વાસ્તવિકતા ઊંચતાને જાણવા દેતો નથી તો તમે કેમ એને પરીક્ષાનુકૂલ કહો છો ? અયોગવ્યવચ્છેદ દ્વાત્રિંશિકા (૨૭)માં કહ્યું પણ છે કે “હે નાથ ! એ વાત સુનિશ્ચિત છે કે જે પરીક્ષકો માધ્યસ્થ્યની ધજા પકડીને મણિસમાન જૈનધર્મ અને કાચસમાન ઇતરધર્મ અંગે “બધા ધર્મો
SR No.022192
Book TitleDharm Pariksha Part 01
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorAbhayshekharsuri
PublisherDivyadarshan Trust
Publication Year2015
Total Pages332
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy