________________
મને લાગે છે કે, તે વખતના રાજાઓ પણ અંદરથી વૈરાગી હતા. બહારથી ભલે રાજ્ય ચલાવે, વ્યવહાર બધો કરે પણ અંદરથી જાગ્રત રહે, અન્યથા કોઈ પણ પ્રકારની પરીક્ષામાં પાસ ન થાય. તેઓના હૃદયમાં વૈરાગ્યની વાત ઘોળાતી હતી. નમિ રાજર્ષિ પ્રત્યેક બુદ્ધ કહેવાયા. તેઓ જાતે જ પ્રતિબોધ પામ્યા હતા. તેમને શરીરમાં દાહ થતો હતો એટલે ચંદન ઘસવામાં આવતું હતું, રાણીઓ જાતે જ સુખડ ઘસતી હતી, તેમના વલયો (બંગડી)ઓનો અવાજ પણ રાજાથી ખમાતો ન હતો. એટલે રાણીઓએ એક જ સૌભાગ્યકંકણ રાખીને બીજી બધી બંગડીઓ કાઢી નાંખી હતી. તે બાબતમાં જ નમિ રાજાને વૈરાગ્ય થયો અને મનમાં બોધ લાગ્યો, એક હોય ત્યાં અવાજ થતો નથી. પછી તો મન બીજા વિચારમાં ચઢી ગયું. તેથી અવાજનો વિચાર આવ્યો = જ નહીં. ઉપરની રાખ ઊડી જતાં જેમ અંગારા ઝગઝગી ઊઠે છે, તેમ ઉપરનું પડ ખસી જતા અંદરનો વૈરાગ્ય ઝળહળી ઉઠ્યો.
11 પંચમ અન્યત્વભાવના
// ૪૬l. मगलमागाव Jી3dh h)મૃષ્ટિએ
हाऊाफमच I]8JJત્રક नदममारमा गारदिांताराम dશ્વIJh