SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬ પ્રતિમાશતક ભાગ-૩ | શ્લોક-૨ તથા મર્થન... સુરેન, મરણ માટે પણ (૧) પિતાને પિંડદાનાદિ ક્રિયામાં પ્રવર્તે છે, (૨) અથવા આના વડે મારા સંબંધીને મારી નંખાયો, તેના વૈરનો બદલો લેવા માટે વધ-બંધાદિમાં પ્રવર્તે છે. (૩) અથવા પોતાના મરણની નિવૃત્તિ માટે=પોતાનું મરણ અટકાવવા માટે, યશોધરે જેમ લોટના કુકડાનો બલિ કર્યો, તેમ દુર્ગાદિ દેવીઓથી યાચના કરાયેલો બકરા આદિથી બલિ આપે છે. મુક્તિ માટે જીવો શું કરે છે. તે બતાવે છે - તથા મુવીર્થમ્ ..... વર્માતે, મુક્તિ માટે અજ્ઞાનથી આવૃત ચિત્તવાળા, પ્રાણીના ઉપમઈનાદિરૂપ પંચાગ્નિ તપ અનુષ્ઠાનાદિમાં પ્રવર્તમાન (જીવો) કર્મને બાંધે છે. નામરીનો પIE' નો બીજી રીતે અર્થ બતાવે છે - દિ વા ..... પુર્વતે ! (૨) અથવા જાતિ=જન્મ, અને મરણથી મુકાવવા માટે હિંસાદિ ક્રિયા કરે છે. “નારૂંમરમોમાઈ' પાઠ છે, તેના બદલે “નાર મરણપોકાણ” એ પ્રમાણે પાઠાંતર છે. તેનો અર્થ બતાવે છે – તત્ર ...... વ્યપ્રિયન્ત તિ નાડુનરામરામોગા એ પ્રમાણે પાઠાંતર છે ત્યાં, ભોજન માટે ખેતી આદિ કર્મમાં પ્રવર્તમાન (જીવ) પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ, વનસ્પતિ, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિંદ્રિય અને પંચેન્દ્રિય જીવના વધ માટે પ્રવૃત્ત થાય છે. ‘ત્તિ' શબ્દ કથનની સમાપ્તિઅર્થક છે. આચારાંગ પ્રથમ અધ્યયન-પ્રથમ ઉદ્દેશો સૂત્ર-૧૧ મૂળમાં ‘દુલકલાત’ કહ્યું, તે બતાવે છે – તથા દુ:પ્રતિપાત .. મનુનાનને, તથા દુખપ્રતિઘાતને આશ્રયીને પોતાના અને પરના માટે આરંભ સેવે છે. તે આ પ્રમાણે - વ્યાધિ અને વેદનાથી પીડિત જીવો લાવક પક્ષીવિશેષનું માંસભક્ષણ, મદિરાપાન કરે છે તથા વનસ્પતિઓનાં મૂળ, છાલ, ત્વચા, પાંદડામાંથી નીકળવા આદિ દ્વારા સિદ્ધ શતપાકાદિ તેલ માટે અગ્નિ આદિના આરંભ વડે પોતે પાપ કરે છે. બીજા પાસે કરાવે છે, કરતા એવા અન્યની અનુમોદના કરે છે. ત્યમેવમતીત ....મિત્યાદિ આ પ્રકારે=વર્તમાનકાળ સંબંધી ક્રિયામાં પ્રવર્તમાન (જીવો) કર્મ બાંધે છે, એમ કહ્યું એ પ્રકારે, ભૂતકાળ અને ભવિષ્યકાળમાં પણ મન, વચન અને કાયાના યોગોથી કર્મનું આદાન કર્મબંધ, કરે છે, એ પ્રકારે જોડવું ઈત્યાદિ. ટીકા - ___ अत्र हि जातिमरणमोचनार्थं कुमार्गोपदिष्टमेव विवृतं न जिनपूजादीति किं दुर्व्यसनं तव तदाशातनायाः? अन्यथा मुक्त्यर्थमनशनलोचाद्यपि हिंसा स्यात्, अनुबन्धतोऽहिंसात्वं तु तुल्यमित्यानेडितमेव । ટીકાર્ય : સત્ર દિ... ચા, અહીંયાં=આચારાંગ પ્રથમ અધ્યયનના પ્રથમ ઉદ્દેશાના સૂત્ર-૧૧ની વૃત્તિમાં, જાતિ-મરણ-મોચન માટે કુમાર્ગથી ઉપદિષ્ટ જ=કહેવાયેલ જ, ટીકામાં વિવૃત છે, જિનપૂજાદિ નહિ. એથી કરીને તેની=સૂત્રની, આશાતનાનું તારું દુર્વ્યસન કેમ છે? અન્યથા=જિનપૂજાદિને હિંસા કહેવી એ સૂત્રની આશાતના નથી એમ માને તો, અનશન-લોચાદિથી પણ હિંસા થાય.
SR No.022184
Book TitlePratima Shatak Part 03
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages450
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy